૧૮૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ આદિ નિર્મળ અભેદ કારકો અનુસાર થવારૂપ જે ભાવ-નિર્મળ પરિણતિ થવારૂપ જે ભાવ-તે-મયી ક્રિયાશક્તિ છે. અંદર ત્રિકાળ નિર્મળ ષટ્કારક પડયા છે તે અનુસાર નિર્મળ પરિણતિ થવી એવો ભગવાન આત્માનો ક્રિયા ગુણ છે. સમજાય છે કાંઈ...?
હું ચેતનારો ચેતક છું, હું મને ચેતું છું, હું મારી ચેતના વડે ચેતું છું-એમ સ્વસંવેદનમાં અભેદપણે છએ કારકો સમાઈ જાય છે; તેમાં કારકભેદના વિકલ્પ હોતા નથી; નિર્મળ નિર્વિકાર ક્રિયામાં છએ કારકરૂપ આત્મા પરિણમી જાય છે, ત્યાં કારકભેદના વિકલ્પ નથી. અહા! વિકલ્પની ક્રિયાની અપેક્ષા વિના જ તેના ભાવનું ભવન થાય એવો આત્માનો ભાવ ગુણ છે, ને પોતાના નિર્મળ અભેદ ષટ્કારકો અનુસાર નિર્મળ ક્રિયારૂપે ભવન થાય એવો આત્માનો આ ક્રિયા ગુણ છે, ભાઈ, પોતાના નિર્મળ ષટ્કારકોને અનુસરીને નિર્મળ પરિણતિએ થવું એવો આત્માનો સ્વભાવ છે, ને રાગપણે ન થવું એવો પણ આત્માનો સ્વભાવ છે. આ અનેકાન્ત છે. અહાહા...! પરરૂપે ન થાય, વિકારરૂપે ન થાય, ભેદના આલંબને ન પરિણમે, પરંતુ અભેદ નિર્મળ ષટ્કારકો અનુસાર નિર્મળ નિર્વિકાર પરિણતિરૂપે પરિણમે એવો દિવ્ય શક્તિમાન ચૈતન્યચિંતામણિ પ્રભુ આત્મા સ્વયમેવ દેવ છે. હવે ભેદરૂપ-વ્યવહારરૂપ ક્રિયાને તે અનુસરતો જ નથી પછી તે વ્યવહાર નિશ્ચયનું સાધન કેમ થાય? ભાઈ, વ્યવહાર નિશ્ચયનું યથાર્થ સાધન છે જ નહિ, એને સાધન કહેવું એ તો ઉપચારમાત્ર છે.
ભાઈ, જ્ઞાનની ક્રિયા ને રાગની ક્રિયા-એમ બે થઈને મોક્ષનો માર્ગ છે એમ નથી. સંપ્રદાયમાં અમે હતા ત્યારે પ્રશ્ન થયેલો કે-
પ્રશ્નઃ– ‘ज्ञानक्रियाभ्याम् मोक्षः’ એમ કહ્યું છે તેનો શું અર્થ છે.
ઉત્તરઃ– ત્યારે કહેલું કે-જ્ઞાન એટલે સ્વસંવેદન જ્ઞાન, આત્માનું સંવેદન તે જ્ઞાન, અને રાગ રહિત વીતરાગી ભાવ તે ક્રિયા-આમ જ્ઞાન અને ક્રિયા મળીને મોક્ષ છે. આનું નામ ‘ज्ञानक्रियाभ्याम् मोक्षः’ છે. પરંતુ પોતાનું જ્ઞાન ને રાગની ક્રિયા-એવો કોઈ મોક્ષમાર્ગ કે મોક્ષ નથી. અહા! નિર્મળ ષટ્કારકો અનુસાર નિર્મળ શુદ્ધ રત્નત્રયની પરિણતિ થવી તે મોક્ષનું કારણ છે. આ નિર્મળ પરિણતિરૂપે પરિણમવારૂપ ક્રિયાશક્તિ છે.
શક્તિ એટલે ગુણ. એકેક ગુણ-એમ અનંત ગુણ દ્રવ્યના આશ્રયે રહેલા છે. ત્યાં આ ગુણ ને આ ગુણી- એવા ભેદની દ્રષ્ટિ છોડીને ત્રિકાળી શુદ્ધ અભેદ એક દ્રવ્યની દ્રષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે. અહા! ત્રિકાળી એક દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિ કરતાં દ્રવ્ય નિર્મળપણે પરિણમી જાય છે ને તેમાં ગુણનું પરિણમન ભેગું જ સમાય છે, ગુણનું કાંઈ જુદું પરિણમન થાય છે એમ નથી. આમાં ન્યાય સમજાય છે? ધ્યાન દઈને સમજવું પ્રભુ!
શક્તિનું એકરૂપ તે દ્રવ્ય છે. દ્રવ્ય પરિણમતાં ભેગા ગુણો પરિણમે છે. આમાં રહસ્ય છે. ગુણ ઉપર દ્રષ્ટિ દેવાથી ગુણનું પરિણમન થતું નથી, પણ ગુણનો આશ્રય જે એક દ્રવ્ય છે તે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ દેવાથી દ્રવ્યનું પરિણમન થાય છે, ને તેમાં ભેગું ગુણનું પરિણમન સમાઈ જાય છે, દ્રવ્યથી અલગ ગુણનું સ્વતંત્ર પરિણમન થતું નથી, અર્થાત્ દ્રવ્ય (નિર્મળ) ન પરિણમે અને ગુણ પરિણમી જાય એમ બનતું નથી.
ગુણભેદની દ્રષ્ટિ કરવાથી ગુણનું પરિણમન સિદ્ધ થતું નથી. ગુણના લક્ષે ગુણ (નિર્મળ) પરિણમતો નથી, ભેદના લક્ષે તો રાગ જ થાય છે. પ્રવચનસારમાં ‘જ્ઞાનનો આશ્રય’ એમ વાત આવે છે, પણ ત્યાં ‘જ્ઞાન’ શબ્દે ‘અભેદ એકરૂપ આત્મા’ એમ અર્થ છે. ભાઈ, આ તો ધીરજથી સમજવાની અંતરની વાતુ છે.
‘ચિદ્વિલાસ’માં પરિણમનશક્તિનું વર્ણન છે. ત્યાં કહ્યું છે કે-આ પરિણમનશક્તિ દ્રવ્યમાંથી ઉઠે છે, ગુણમાંથી નહિ. એની સાક્ષી સૂત્રજીમાં (તત્ત્વાર્થસૂત્રમાં) દીધી છે કે- ‘द्रव्याश्रया निर्गुणा गुणाः’ એટલે કે દ્રવ્યના આશ્રયે ગુણ છે, ગુણના આશ્રયે ગુણ નથી. વળી ત્યાં જ ‘गुणपर्ययवत् द्रव्यम्’ ગુણ-પર્યાયવાળું દ્રવ્ય છે એમ પણ કહ્યું છે. પર્યાયવાળું દ્રવ્ય જ કહ્યું, પણ ગુણ ન કહ્યો. મતલબ દ્રવ્યની પરિણમનશક્તિ દ્રવ્યમાંથી ઉઠે છે, ગુણમાંથી નહિ. શક્તિ-ગુણ એ તો દ્રવ્યની ત્રિકાળી વિશેષતા છે, ને તે વિશેષતારૂપ દ્રવ્ય પરિણમી જાય છે, કાંઈ વિશેષતા-ગુણ સ્વતંત્ર પરિણમે છે એમ નથી.
દ્રવ્યમાં અનંત શક્તિઓ છે. તેથી દ્રવ્ય પરિણમતાં શક્તિ પરિણમી એમ કહેવામાં આવે છે. મતલબ કે અભેદ એક ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ કરવાથી, દ્રવ્યની સન્મુખ થઈ પરિણમવાથી આખું દ્રવ્ય નિર્મળ પરિણમે છે. ગુણનું સ્વતંત્ર પરિણમન થતું નથી, પણ દ્રવ્યની પરિણતિ ભેગી ગુણની પરિણતિ ઉઠે છે. આમ-આ રીતે ગુણ-ગુણીના ભેદની દ્રષ્ટિ