Pravachan Ratnakar (Gujarati). Kalash: 266.

< Previous Page   Next Page >


PDF/HTML Page 4152 of 4199

 

કળશ-૨૬૬ઃ ૨૩૩

અહા! સ્વરૂપની દ્રષ્ટિ વિના, અજ્ઞાની જીવ એકલા રાગના રંગે રંગાયો છે. દયા, દાન, વ્રત, તપ ઇત્યાદિ રાગની ક્રિયાઓમાં તે રચ્યો રહે છે. તે રાગને જ દેખે છે, રાગને જ સર્જે છે, ને રાગને જ આચરે છે. તેને મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રનું જ આચરણ છે. ધર્મની ક્રિયાનું તો તેને ભાનેય નથી. શુદ્ધ ચૈતન્યના આશ્રયે જે નિર્વિકલ્પ દશાઓ થાય તેની તો એને ગંધેય નથી. તેને સ્વભાવનું ભવન જ નથી ને! એ તો એકાંતે રાગની ક્રિયાઓમાં ધામા નાખીને ત્યાં જ રમી રહ્યો છે. અહા! અનેક ક્રિયાકાંડ કરવા છતાં તેને સંસાર-પરિભ્રમણ જ ઊભું રહે છે; તે સંસારમાં જ-૮૪ના અવતારોમાં જ -રખડે છે.

અહા! કર્મનું જોર છે માટે અજ્ઞાનીને સ્વરૂપનું અભવન છે એમ નથી. એની ઉંધી શ્રદ્ધાને લઈને એને સ્વરૂપનું અભવન છે. પોતાની ઉંધી શ્રદ્ધાનું જોર છે તેથી અજ્ઞાની રખડે છે. કર્મ માર્ગ આપે તો ધર્મ થાય એમ કર્મનાં ઉંધાં લાકડાં એનામાં ગરી ગયાં છે. એમ કર્મ-કર્મનું જોર માનીને એણે નિજ આત્મસ્વભાવનો ત્યાગ કરી દીધો છે. અરે ભાઈ, કર્મ છે, પણ એ તો જડ-ધૂળ બાપુ! એ તને શું કરે? તારી દ્રષ્ટિ બદલ તો સૃષ્ટિ બદલાઈ જશે.

એક વાર એક લૌકિકમાં પ્રસિદ્ધ સંત પુરુષ રાજકોટમાં અમારા વ્યાખ્યાનમાં આવેલા. ત્યારે કહેલું કે-પર જીવોની દયા પાળવાનો ભાવ તે રાગભાવ છે, શુભરાગ છે, બંધનું કારણ છે, તે ધર્મ નથી. વળી જે જીવ માને છે કે હું પરની દયા પાળી શકું છું તે મૂઢ છે. રાગમાં ધર્મ માને એય મૂઢ છે, ને પરની દયા પાળવાનું માને તેય મૂઢ છે. તેમને આ વાત જચી નહિ. પણ શું થાય? મિથ્યાભાવ તો અંતરના પુરુષાર્થથી જ મટે ને! સ્વરૂપને ભૂલી જવું તે ભૂલ છે, ને પોતાની ભૂલને લઈને જ જીવ સંસારમાં ભમે છે. ‘અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા.’ રાગની ક્રિયામાં જે ધર્મ માની બેઠા છે તે મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની જીવો છે, ને તે ચાર ગતિમાં પરિભ્રમે છે. આવી વાત!

* * *
કળશ – ૨૬૬

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

(वसन्ततिलका)
ये ज्ञानमात्रनिजभावमयीमकम्पां
भूमिं
श्रयन्ति कथमप्यपनीतमोहाः ।
ते साधकत्वमधिगम्य भवन्ति सिध्दा
मूढास्त्वमूमनुपलभ्य
परिभ्रमन्ति।। २६६।।

શ્લોકાર્થઃ– [ये] જે પુરુષો, [कथम् अपि अपनीत–मोहाः] કોઈ પણ પ્રકારે જેમનો મોહ દૂર થયો છે એવા થયા થકા, [ज्ञानमात्र–निज–भावमयीम् अकम्पां भूमिं] જ્ઞાનમાત્ર નિજભાવમય અકંપ ભૂમિકાનો (અર્થાત્ જ્ઞાનમાત્ર જે પોતાનો ભાવ તે-મય નિશ્ચળ ભૂમિકાનો) [श्रयन्ति] આશ્રય કરે છે, [ते साधकत्वम् अधिगम्य सिध्दाः भवन्ति] તેઓ સાધકપણાને પામીને સિદ્ધ થાય છે; [तु] પરંતુ [मूढाः] જેઓ મૂઢ (-મોહી, અજ્ઞાની, મિથ્યાદ્રષ્ટિ) છે, તેઓ [अमूम् अनुपलभ्य] આ ભૂમિકાને નહિ પામીને [परिभ्रमन्ति] સંસારમાં પરિભ્રમણ કરે છે.

ભાવાર્થઃ– જે ભવ્ય પુરુષો, ગુરુના ઉપદેશથી અથવા સ્વયમેવ કાળલબ્ધિને પામી મિથ્યાત્વથી રહિત થઈને, જ્ઞાનમાત્ર એવા પોતાના સ્વરૂપને પામે છે, તેનો આશ્રય કરે છે, તેઓ સાધક થયા થકા સિદ્ધ થાય છે; પરંતુ જેઓ જ્ઞાનમાત્ર એવા પોતાને પામતા નથી, તેઓ સંસારમાં રખડે છે. ૨૬૬.

* કળશ ૨૬૬ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘ये’ જે પુરુષો, ‘कथम् अपि अपनीत–मोहाः’ કોઈ પણ પ્રકારે જેમનો મોહ દૂર થયો છે એવા થયા થકા, ‘ज्ञानमात्र–निज–भावमयीम् अकम्पां भूमिम्’ જ્ઞાનમાત્ર નિજભાવમય અકંપ ભૂમિકાનો (અર્થાત્ જ્ઞાનમાત્ર જે પોતાનો ભાવ