Pravachan Ratnakar (Gujarati). Kalash: 271.

< Previous Page   Next Page >


PDF/HTML Page 4167 of 4199

 

૨૪૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ અભેદ વસ્તુમાં ચાર જુદા ભાગ પડી ગયા. એવું માનતાં વિપરીતતા થશે, અર્થાત્ વસ્તુ જેવી અખંડ છે તેવી રહેશે નહિ.

માટે આ પ્રકારે છેઃ કેરી એક સ્પર્શ, રસ, ગંધ, વર્ણયુક્ત પુદ્ગલનો પિંડ છે. તેથી સ્પર્શમાત્રથી વિચારતાં (એ જ કેરી) સ્પર્શમાત્ર છે, રસમાત્રથી વિચારતાં (એ જ કેરી) રસમાત્ર છે, ગંધમાત્રથી વિચારતાં (એ જ કેરી) ગંધમાત્ર છે અને વર્ણથી વિચારતાં (એ જ કેરી) વર્ણમાત્ર છે. એટલે કે કેરી (સ્વભાવથી) એકરૂપ છે, અખંડ છે; તેને સ્પર્શથી જુઓ તોય કેરી, રસથી જુઓ તોય કેરી, ગંધથી જુઓ તોય કેરી, ને વર્ણથી જુઓ તોય કેરી જ છે. (સ્પર્શ-રસ-ગંધ-વર્ણ કેરીથી જુદી ચીજ નથી)

એમ જીવદ્રવ્યને (એક અખંડ વસ્તુને) દ્રવ્યથી જુઓ તોય એ અખંડ વસ્તુ છે, ક્ષેત્રથી જુઓ તોય એ અખંડ વસ્તુ છે, કાળથી જુઓ તોય એ અખંડ વસ્તુ છે, ને ભાવથી જુઓ તોય એ ત્રિકાળી અખંડ વસ્તુ છે. એક અખંડ ચૈતન્યવસ્તુ દ્રવ્યથી જુદી, ક્ષેત્રથી જુદી, કાળથી જુદી, ને ભાવથી જુદી એમ છે નહિ. દ્રવ્ય જુઓ તો ક્ષેત્ર-કાળ-ભાવ છે, ક્ષેત્ર જુઓ તો દ્રવ્ય-કાળ-ભાવ છે, કાળથી જુઓ તો દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ છે, ને ભાવથી જુઓ તો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ચારેય અભેદ એક વસ્તુ છે.

જ્ઞાની કહે છે-સુવિશુદ્ધ એક જ્ઞાનમાત્ર ભાવ હું છું. એક જ્ઞાનમાત્ર ભાવ તે હું એમ કહેતાં એમાં અભેદપણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આવી ગયા; ચાર કાંઈ જુદા છે એમ છે નહિ.

* ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘શુદ્ધનયથી જોવામાં આવે તો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી કાંઈ પણ ભેદ દેખાતો નથી. માટે જ્ઞાની અભેદજ્ઞાનસ્વરૂપ અનુભવમાં ભેદ કરતો નથી.’

શુદ્ધનયથી જોવામાં આવે તો એટલે કે અભેદ એક દ્રવ્યને જોવામાં આવે તો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં દ્રવ્ય- ક્ષેત્ર-કાળ-ભાવથી કાંઈ પણ ભેદ દેખાતો નથી; એટલે કે વસ્તુ અભેદ જ અનુભવમાં આવે છે. જુઓ આ જ્ઞાનીની અનુભૂતિ! ધર્મી-જ્ઞાની પુરુષ અખંડ એક વસ્તુમાં ભેદ પાડતો-જોતો નથી.

એક વસ્તુને દ્રવ્ય કહો તોય એ, ક્ષેત્ર કહો તોય એ, કાળ કહો તોય એ, ને ભાવ કહો તોય એ; જ્ઞાની પોતાની જ્ઞાનમાત્ર વસ્તુને એક-અભેદપણે ગ્રહણ કરે છે, ખંડખંડ કરી જોતો-અનુભવતો નથી. વસ્તુ-દ્રવ્ય કહો તોય એ દ્રવ્ય-ક્ષેત્ર કહો તોય અસંખ્યાત પ્રદેશી એ દ્રવ્ય, કાળ કહો તોય એ ત્રિકાળી દ્રવ્ય, ને ભાવ કહો તોય એ જ્ઞાનમાત્ર દ્રવ્ય-એમ ચારેથી જોતાં જ્ઞાની અભેદ એક નિર્વિકલ્પ વસ્તુમાત્ર જ દેખે છે. અંતર્દ્રષ્ટિમાં ભેદ નથી, એમાં તો એકલો અભેદનો જ અનુભવ છે. આવી વાત! સમજાણું કાંઈ...?

* * *
કળશ – ૨૭૧

‘જ્ઞાનમાત્ર ભાવ પોતે જ જ્ઞાન છે, પોતે જ પોતાનું જ્ઞેય છે અને પોતે જ પોતાનો જ્ઞાતા છે-એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ

(शालिनी)
योऽयं भावो ज्ञानमात्रोऽहमस्मि
ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव।
ज्ञेयो ज्ञेयज्ञानकल्लोलवल्गन्
ज्ञानज्ञेयज्ञातृमद्वस्तुमात्रः ।। २७१।।

શ્લોકાર્થઃ– [यः अयं ज्ञानमात्रः भावः अहम् अस्मि सः ज्ञेय–ज्ञानमात्रः एव न ज्ञेयः] જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે જ્ઞેયોના જ્ઞાનમાત્ર જ ન જાણવો; [ज्ञेय–ज्ञान–कल्लोल–वल्गन्] (પરંતુ) જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલોરૂપે પરિણમતો તે, [ज्ञान–ज्ञेय–ज्ञातृमत्–वस्तुमात्रः ज्ञेयः] જ્ઞાન–જ્ઞેય–જ્ઞાતામય વસ્તુમાત્ર જાણવો (અર્થાત્