Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 4199

 

ભાગ-૧ ] ૩પ

રૂપે પરિણમન છે એમ કહેવું એ અસત્યાર્થ નયથી કહેવામાં આવે છે. સમ્યક્દર્શન થતાં દ્રવ્યના બધા નિર્મળ પરિણામ દ્રવ્ય તરફ ઢળે છે, એકલી શ્રદ્ધાની પર્યાય જ ઢળે છે એમ નહીં. ફક્ત મલિન પરિણામ બહાર રહી જાય છે. દ્રવ્યાર્થિક નયની મુખ્યતામાં ‘એકના સેવનની જ’ (ધ્રુવ આત્માની જ) મુખ્યતા હોય છે. તે કાળે ત્રણે રૂપે પરિણમવું એને ગૌણ કરીને-વ્યવહાર કહીને અસત્યાર્થ કહે છે.

ગાથા ૧૬ (સમયસાર) ના કળશ ૧૭ માં આવે છે કે -‘આત્મા એક છે તો પણ વ્યવહારદ્રષ્ટિથી જોઈએ તો ત્રણ સ્વભાવપણાને લીધે અનેકાકારરૂપ (મેચક) છે, કારણ કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર -એ ત્રણ ભાવે પરિણમે છે. જોયું? દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણેપણે પરિણમે છે એ વ્યવહારકથન છે. આ જ કળશના ભાવાર્થમાં ખુલાસો છે કે શુદ્ધ દ્રવ્યાર્થિકનયે આત્મા એક છે. આ નયને પ્રધાન કરી કહે ત્યારે પર્યાયાર્થિકનય ગૌણ થયો, તેથી એકને ત્રણરૂપે (દર્શન, જ્ઞાન, ચારિત્ર એમ ત્રણરૂપે) પરિણમવો કહેવો તે સદ્ભૂત વ્યવહાર છે; રાગ છે તે અસદ્ભૂત વ્યવહાર છે. (આત્મા રાગરૂપે પરિણમે છે એમ કહેવું તે અસદ્ભૂત વ્યવહાર છે.)

અહા! પરિણમનની ત્રણ નિર્મળ દશાને વ્યવહાર કહી, અસત્યાર્થ કહી તો દ્રવ્યને નિર્મળ પર્યાય સાથે લઈને દ્રષ્ટિનો વિષય બનાવે એ તો ઘણું સ્થૂળ થઇ ગયું (એવી માન્યતા) વિપરીત અને ઊંધી દ્રષ્ટિ છે. નિશ્ચયનયનો વિષય એક અંશ છે, પ્રમાણ નથી. જે ‘એકરૂપ’ છે તે દ્રવ્યાર્થિકનયનો વિષય છે. એક વસ્તુને દ્રવ્યાર્થિકનયે-નિશ્ચયનયથી જ્યારે ‘એક’ કહી ત્યારે બીજો નય હજુ બાકી રહી ગયો; કેમકે વસ્તુનો બીજો અંશ છે ને? તેને વિષય કરનાર વ્યવહારનય બાકી રહી ગયો, અન્યથા નય જ કહેવાય નહીં. ત્રણપણે પરિણમે છે એ પર્યાયઅંશ વ્યવહારનયનો વિષય છે. આ વ્યવહારનયના વિષયને ગૌણ કરી, તે નથી, એમ અસત્યાર્થ કહેલ છે. વળી દ્રવ્યથી સાથે પર્યાય લેવી એ પણ વ્યવહાર છે. બે થયા માટે વ્યવહાર છે. બીજી રીતે કહીએ તો પર્યાય સદ્ભૂત વ્યવહાર છે, અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય નિશ્ચય છે; બે મળીને પ્રમાણનો વિષય થઈ ગયો અને પ્રમાણ પોતે વ્યવહારનયનો વિષય છે, એમ પંચાધ્યાયીમાં લીધું છે.

હવે અહીં કહે છે કે એ સિદ્ધ ભગવંતો, સિદ્ધપણાને લીધે-એટલે સિદ્ધ-પૂર્ણ- દશા પ્રાપ્ત થઈ ગઈ છે એને લીધે, સાધ્ય જે આત્મા તેના પ્રતિચ્છંદના સ્થાને છે. પ્રતિચ્છંદ એટલે પડઘો. રાણપુરમાં રાજાનો નદીના કાંઠે પથ્થરનો ઊંચો મહેલ છે. તેમાં (એક જગાથી) અવાજ કરે અને ત્યાંથી અવાજ ઊઠે. અવાજ પાછો પડે. આને પડઘો કહેવાય. તેમ અહીં ‘હે સિદ્ધ?’ એમ બોલે ત્યાં અંદર સામો પડઘો પણ એવો પડે કે ‘હે સિદ્ધ!’