૧૪૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨
न्नुः स्तोक्र व्यवहारतोऽस्ति वपुषः स्तुत्या न तत्तत्त्वतः।
स्तोक्रं निश्चयतश्चितो भवति चित्स्तुत्यैव सैवं भवे–
न्नातस्तीर्थकरस्तवोत्तरबलादेकत्वमात्माङ्गयोः।। २७।।
नयविभजनयुक्त्यात्यन्तमुच्छादितायाम्।
अवतरति न बोधो बोधमेवाद्य कस्य
स्वरसरभसकृष्टः प्रस्फुटन्नेक एव।। २८ ।।
____________________________________________________________
ભાવાર્થઃ– સાધુ પહેલાં પોતાના બળથી ઉપશમ ભાવ વડે મોહને જીતી, પછી જ્યારે પોતાના મહા સામર્થ્યથી મોહનો સત્તામાંથી નાશ કરી જ્ઞાનસ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થાય ત્યાર તે ક્ષીણમોહ જિન કહેવાય છે.
હવે અહીં આ નિશ્ચય-વ્યવહારરૂપ સ્તુતિના અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [कायात्मनोः व्यवहारतः एकत्वं] શરીરને અને આત્માને વ્યવહારનયથી એકપણું છે [तु पुनः] પણ [निश्चयात् न] નિશ્ચયનયથી એકપણું નથી; [वपुषः स्तुत्या नुः स्तोत्रं व्यवहारतः अस्ति] માટે શરીરના સ્તવનથી આત્માપુરુષનું સ્તવન વ્યવહારનયથી થયું કહેવાય છે, અને [तत्त्वतः तत् न] નિશ્ચયનયથી નહિ; [निश्चयतः] નિશ્ચયથી તો [चित्स्तुत्या एव] ચૈતન્યના સ્તવનથી જ [चितः स्तोक्रं भवति] ચૈતન્યનું સ્તવન થાય છે. [सा एवं भवेत्] તે ચૈતન્યનું સ્તવન અહીં જિતેન્દ્રિય, જિતમોહ, ક્ષીણમોહ-એમ (ઉપર) કહ્યું તેમ છે. [अतः तीर्थकरस्तवोत्तरबलात्] અજ્ઞાનીએ તીર્થંકરના સ્તવનનો જે પ્રશ્ન કર્યો હતો તેનો આમ નયવિભાગથી ઉત્તર દીધો; તે ઉત્તરના બળથી એમ સિદ્ધ થયું કે [आत्म–अङ्गयोः एकत्वं न] આત્માને અને શરીરને એકપણું નિશ્ચયથી નથી. ૨૭.
હવે વળી, આ અર્થને જાણવાથી ભેદજ્ઞાનની સિદ્ધિ થાય છે એવા અર્થવાળું કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [परिचित–तत्त्वैः] જેમણે વસ્તુના યથાર્થ સ્વરૂપને પરિચયરૂપ કર્યું છે એવા મુનિઓએ [आत्म–काय–एकतायां] જ્યારે આત્મા અને શરીરના એકપણાને [इति नय–विभजन–युक्त्या] આમ નયના વિભાગની યુક્તિ વડે [अत्यन्तम् उच्छादितायाम्] જડમૂળથી ઉખેડી નાખ્યું છે-અત્યંત નિષેધ્યું છે, ત્યારે [कस्य] કયા પુરુષને [बोधः] જ્ઞાન