अथ ज्ञेयभावविवेकप्रकारमाह–
णत्थि मम धम्मआदी बुज्झदि उवओग एव अहमेक्को। तं धम्मणिम्ममत्तं समयस्स वियाणया बेंति।। ३७ ।।
तं धर्मनिर्ममत्वं समयस्य विज्ञायका ब्रुवन्ति।। ३७ ।।
હવે જ્ઞેયભાવના ભેદજ્ઞાનનો પ્રકાર કહે છેઃ-
–એ જ્ઞાનને, જ્ઞાયક સમયના ધર્મનિર્મમતા કહે. ૩૭.
*ગાથાર્થઃ– [बुध्यते] એમ જાણે કે [धर्मादिः] ‘આ ધર્મ આદિ દ્રવ્યો [मम नास्ति] મારાં કાંઈ પણ લાગતાંવળગતાં નથી, [एकः उपयोगः एव] એક ઉપયોગ છે તે જ [अहम्] હું છું’- [तं] એવું જે જાણવું તેને [समयस्य विज्ञायकाः] સિદ્ધાંતના અથવા સ્વપરના સ્વરૂપરૂપ સમયના જાણનારા [धर्मनिर्ममत्वं] ધર્મદ્રવ્ય પ્રત્યે નિર્મમત્વ [ब्रुवन्ति] કહે છે.
ટીકાઃ– પોતાના નિજરસથી જે પ્રગટ થયેલ છે, નિવારણ ન કરી શકાય એવો જેનો ફેલાવ છે તથા સમસ્ત પદાર્થોને ગ્રસવાનો (ગળી જવાનો) જેનો સ્વભાવ છે એવી પ્રચંડ ચિન્માત્રશકિત વડે ગ્રાસીભૂત કરવામાં આવ્યાં હોવાથી, જાણે અત્યંત અંતર્મગ્ન થઇ રહ્યાં હોય-જ્ઞાનમાં તદ્રાકાર થઇ ડૂબી રહ્યાં હોય એવી રીતે આત્મામાં પ્રકાશમાન છે એવાં આ ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ, અન્ય જીવ-એ સર્વ પરદ્રવ્યો મારાં સંબંધી નથી; કારણ કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવપણાથી પરમાર્થે અંતરંગતત્ત્વ તો હું છું અને તે પરદ્રવ્યો મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળાં હોવાથી પરમાર્થે બાહ્યતત્ત્વપણાને છોડવા અસમર્થ છે (કેમ કે પોતાના સ્વભાવનો અભાવ કરી જ્ઞાનમાં પેસતાં નથી.) વળી અહીં સ્વયમેવ, (ચૈતન્યમાં) નિત્ય ઉપયુક્ત એવો અને પરમાર્થે એક, અનાકુળ આત્માને ____________________________________________________________ * આ ગાથાનો અર્થ આમ પણ થાય છેઃ-‘ધર્મ આદિ દ્રવ્યો મારાં નથી. હું એક છું’