૨૦૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨
स्वयमयमुपयोगो बिभ्रदात्मानमेकम्।
प्रकटितपरमार्थैर्दर्शनज्ञानवृत्तैः
कृतपरिणतिरात्माराम एव प्रवृत्तः।। ३१ ।।
____________________________________________________________ અનુભવતો એવો ભગવાન આત્મા જ જાણે છે કે-હું પ્રગટ નિશ્ચયથી એક જ છું માટે, જ્ઞેયજ્ઞાયકભાવમાત્રથી ઊપજેલું પરદ્રવ્યો સાથે પરસ્પર મળવું (મિલન) હોવા છતાં પણ, પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવો પ્રત્યે હું નિર્મમ છું; કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી સમય (આત્મપદાર્થ અથવા દરેક પદાર્થ) એવો ને એવો જ સ્થિત રહે છે; (પોતાના સ્વભાવને કોઈ છોડતું નથી). આ પ્રકારે જ્ઞેયભાવોથી ભેદજ્ઞાન થયું.
અહીં આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [इति] આમ પૂર્વોક્ત પ્રકારે ભાવકભાવ અને જ્ઞેયભાવોથી ભેદજ્ઞાન થતાં [सर्वैः अन्यभावैः सह विवेके सति] સર્વ અન્યભાવોથી જ્યારે ભિન્નતા થઈ ત્યારે [अयं उपयोगः] આ ઉપયોગ છે તે [स्वयं] પોતે જ [एकं आत्मानम्] પોતાના એક આત્માને જ [बिभ्रत्] ધારતો, [प्रकटितपरमार्थेः दर्शनज्ञानवृत्तैः कृतपरिणतिः] જેમનો પરમાર્થ પ્રગટ થયો છે એવાં દર્શનજ્ઞાનચારિત્રથી જેણે પરિણતિ કરી છે એવો, [आत्म–आरामे एव प्रवृत्तः] પોતાના આત્મારૂપી બાગ (ક્રીડાવન) માં જ પ્રવૃત્તિ કરે છે, અન્ય જગ્યાએ જતો નથી.
ભાવાર્થઃ– સર્વ પરદ્રવ્યોથી તથા તેમનાથી ઉત્પન્ન થયેલા ભાવોથી જ્યારે ભેદ જાણ્યો ત્યારે ઉપયોગને રમવાને માટે પોતાનો આત્મા જ રહ્યો, અન્ય ઠેકાણું ન રહ્યું. આ રીતે દર્શનજ્ઞાનચારિત્ર સાથે એકરૂપ થયેલો તે આત્મામાં જ રમણ કરે છે એમ જાણવું. ૩૧.
હવે જ્ઞેયભાવના ભેદજ્ઞાનનો પ્રકાર કહે છે. આ આત્મા સિવાય સર્વજ્ઞ પરમેશ્વર, સિદ્ધ અને નિગોદથી માંડી બીજા બધાય અનંત આત્માઓ અને છયે દ્રવ્યો જે જ્ઞેય છે તે જ્ઞેયોથી ભેદજ્ઞાનની હવે વ્યાખ્યા કરે છે.
જ્ઞાયક એવો જીવનો પોતાનો સ્વભાવ છે. તેથી તે જ્ઞેયોને જાણે છે. જે જાણવાનું થાય છે એ કાંઈ જ્ઞેયની પરિણતિ નથી, પરંતુ જ્ઞાનની પરિણતિ છે. છતાં એ જ્ઞાનની પરિણતિ પોતાની છે એમ ન માનતાં જ્ઞેયને પોતાના માને છે એ મિથ્યાદર્શન છે. દેવ,