Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 57 of 4199

 

પ૦ [ સમયસાર પ્રવચન

મળીને રહેવા છતાં પોતાના ક્ષેત્રથી ભિન્નપણે રહી પોતાના ચૈતન્યસ્વભાવરૂપ જ રહે છે, સ્વરૂપથી કદીય છૂટતો નથી. આવો જ વસ્તુસ્વભાવ છે.

આમ સાત બોલથી જે કહેવામાં આવ્યો એવો જીવ નામનો પદાર્થ તે સમય છે. સાત બોલથી સમય સિદ્ધ કર્યો છે.

-ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત સત્તાથી સહિત છે. -દર્શનજ્ઞાનસ્વરૂપ પરિણમન સહિત છે. -અનંત ધર્મોમાં રહેલા એકધર્મીપણાને લીધે તેને દ્રવ્યપણું પ્રગટ છે. -અક્રમવર્તી અને ક્રમવર્તી એવા ગુણપર્યાયો સહિત છે. -સ્વ-પર સ્વરૂપને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી તેને સમસ્ત રૂપને પ્રકાશનારું

એકરૂપપણું છે.

-અસાધારણ ચૈતન્ય ગુણના સદ્ભાવને લીધે તથા પરદ્રવ્યોના વિશેષ ગુણોના

અભાવને લીધે પર દ્રવ્યોથી ભિન્ન છે.

-અન્ય દ્રવ્યોથી અત્યંત એકક્ષેત્રાવગાહ હોવા છતાં પોતાના ભિન્ન ક્ષેત્રપણે

રહેતો એક ટંકોત્કીર્ણ ચૈતન્યસ્વરૂપ જ રહેવાનો સ્વભાવ છે.

અહા! જ્ઞાન એને કહીએ જે પૂર્વાપર વિરોધ રહિત વસ્તુને સિદ્ધ કરે. આગળ- પાછળ વિરોધ આવે તેને જ્ઞાન ન કહેવાય.

હવે અહીં સ્વસમય પરસમય કઈ રીતે છે તે સમજાવે છે. ‘જ્યારે આ જીવ, સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાન-જ્યોતિનો ઉદય થવાથી, સર્વ પરદ્રવ્યોથી છૂટી દર્શનજ્ઞાનસ્વભાવમાં નિશ્ચિતપ્રવૃત્તિરૂપ આત્મતત્ત્વ સાથે એકત્વરૂપે લીન થઈ પ્રવૃત્તિ કરે છે ત્યારે દર્શન- જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થવાથી પોતાના સ્વરૂપને એકતારૂપે એક જ વખતે જાણતો તથા પરિણમતો એવો તે ‘સ્વ-સમય’ એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે.’

સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશે તે કેવળજ્ઞાન છે. એવા કેવળજ્ઞાનને ભેદજ્ઞાનજ્યોતિ પ્રગટ કરે છે. આ ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થતાં સર્વ પરદ્રવ્યોથી છૂટી, દર્શનજ્ઞાનસ્વભાવમાં, પર્યાયરહિત અભેદ ત્રિકાળ ધ્રુવ, ચૈતન્યરૂપ આત્મતત્ત્વમાં દ્રષ્ટિ કરી તેની સાથે એકત્વગતપણે વર્તે છે ત્યારે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થયો એમ કહેવામાં આવે છે. યુગપદ્ સ્વને એકત્વપૂર્વક જાણતો અને સ્વમાં એકત્વપણે પરિણમતો તે ‘સ્વસમય’ એમ પ્રતીત કરવામાં આવે છે-એટલે કે જાણવામાં આવે છે. અહીં ટીકામાં જાણવાના અર્થમાં પ્રતીત શબ્દનો પ્રયોગ કર્યો છે.