Pravachan Ratnakar (Gujarati). Gatha: 47-48.

< Previous Page   Next Page >


PDF/HTML Page 572 of 4199

 

ગાથા ૪૭–૪૮

अथ केन द्रष्टान्तेन प्रवृत्तो व्यवहार इति चेत्–

राया हु णिग्गदो त्ति य एसो बलसमुदयस्स आदेसो।
ववहारेण दु उच्चदि तत्थेक्को णिग्गदो राया।। ४७ ।।
एमेव य ववहारो अज्झवसाणादिअण्णभावाणं।
जीवो त्ति कदो सुत्ते तत्थेक्को णिच्छिदो जीवो।। ४८ ।।
राजा खलु निर्गत इत्येष बलसमुदयस्यादेशः।
व्यवहारेण तूच्यते तत्रैको निर्गतो राजा।। ४७ ।।

एवमेव च व्यवहारोऽध्यवसानाद्यन्यभावानाम्।
जीव इति कृतः सूत्रे तत्रैको निश्चितो जीवः।। ४८ ।।

_________________________________________________________________

હવે શિષ્ય પૂછે છે કે આ વ્યવહારનય કયાં દ્રષ્ટાંતથી પ્રવર્ત્યો છે? તેનો ઉત્તર કહે છેઃ-

‘નિર્ગમન આ નૃપનું થયું”–નિર્દેશ સૈન્યસમૂહને,
વ્યવહારથી કહેવાય એ, પણ ભૂપ એમાં એક છે; ૪૭.
ત્યમ સર્વ અધ્યવસાન આદિ અન્યભાવો જીવ છે,
–સૂત્રે કર્યો વ્યવહાર, પણ ત્યાં જીવ નિશ્ચય એક છે. ૪૮.

ગાથાર્થઃ– જેમ કોઈ રાજા સેના સહિત નીકળ્‌યો ત્યાં [राजा खलु निर्गतः] ‘આ રાજા નીકળ્‌યો’ [इति एषः] એમ આ જે [बलसमुदयस्य] સેનાના સમુદાયને [आदेशः] કહેવામાં આવે છે તે [व्यवहारेण तु उच्यते] વ્યવહારથી કહેવામાં આવે છે, [तक्र] તે સેનામાં (વાસ્તવિકપણે) [एकः निर्गतः राजा] રાજા તો એક જ નીકળ્‌યો છે; [एवम् एव च] તેવી જ રીતે [अध्यवसानाद्यन्यभावानाम्] અધ્યવસાન આદિ અન્યભાવોને [जीवः इति] ‘(આ) જીવ છે’ એમ [सूत्रे] પરમાગમમાં કહ્યું છે તે [व्यवहारः कृतः] વ્યવહાર કર્યો છે, [तक्र निश्चितः] નિશ્ચયથી વિચારવામાં આવે તો તેમનામાં [जीवः एकः] જીવ તો એક જ છે.

ટીકાઃ– જેમ આ રાજા પાંચ યોજનના ફેલાવથી નીકળી રહ્યો છે એમ કહેવું તે,