अथ केन द्रष्टान्तेन प्रवृत्तो व्यवहार इति चेत्–
ववहारेण दु उच्चदि तत्थेक्को णिग्गदो राया।। ४७ ।।
जीवो त्ति कदो सुत्ते तत्थेक्को णिच्छिदो जीवो।। ४८ ।।
व्यवहारेण तूच्यते तत्रैको निर्गतो राजा।। ४७ ।।
एवमेव च व्यवहारोऽध्यवसानाद्यन्यभावानाम्।
जीव इति कृतः सूत्रे तत्रैको निश्चितो जीवः।। ४८ ।।
_________________________________________________________________
હવે શિષ્ય પૂછે છે કે આ વ્યવહારનય કયાં દ્રષ્ટાંતથી પ્રવર્ત્યો છે? તેનો ઉત્તર કહે છેઃ-
વ્યવહારથી કહેવાય એ, પણ ભૂપ એમાં એક છે; ૪૭.
–સૂત્રે કર્યો વ્યવહાર, પણ ત્યાં જીવ નિશ્ચય એક છે. ૪૮.
ગાથાર્થઃ– જેમ કોઈ રાજા સેના સહિત નીકળ્યો ત્યાં [राजा खलु निर्गतः] ‘આ રાજા નીકળ્યો’ [इति एषः] એમ આ જે [बलसमुदयस्य] સેનાના સમુદાયને [आदेशः] કહેવામાં આવે છે તે [व्यवहारेण तु उच्यते] વ્યવહારથી કહેવામાં આવે છે, [तक्र] તે સેનામાં (વાસ્તવિકપણે) [एकः निर्गतः राजा] રાજા તો એક જ નીકળ્યો છે; [एवम् एव च] તેવી જ રીતે [अध्यवसानाद्यन्यभावानाम्] અધ્યવસાન આદિ અન્યભાવોને [जीवः इति] ‘(આ) જીવ છે’ એમ [सूत्रे] પરમાગમમાં કહ્યું છે તે [व्यवहारः कृतः] વ્યવહાર કર્યો છે, [तक्र निश्चितः] નિશ્ચયથી વિચારવામાં આવે તો તેમનામાં [जीवः एकः] જીવ તો એક જ છે.
ટીકાઃ– જેમ આ રાજા પાંચ યોજનના ફેલાવથી નીકળી રહ્યો છે એમ કહેવું તે,