Pravachan Ratnakar (Gujarati). Gatha: 49.

< Previous Page   Next Page >


PDF/HTML Page 576 of 4199

 

ગાથા–૪૯

यद्येवं तर्हि किंलक्षणोऽसावेकष्टङ्कोत्कीर्णः परमार्थजीव इति पृष्टः प्राह–

अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसद्दं।
जाण अलिंगग्गहणं जीवमणिद्दिट्ठसंठाणं।। ४९ ।।
अरसमरूपमगन्धमव्यक्तं चेतनागुणमशब्दम्।
जानीहि अलिङ्गग्रहणं जीवमनिर्दिष्टसंस्थानम्।। ४९ ।।

_________________________________________________________________

હવે શિષ્ય પૂછે છે કે એ અધ્યવસાનાદિ ભાવો છે તે જીવ નથી તો તે એક, ટંકોત્કીર્ણ, પરમાર્થસ્વરૂપ જીવ કેવો છે? તેનું લક્ષણ શું છે? એ પ્રશ્નનો ઉત્તર કહે છેઃ-

જીવ ચેતનાગુણ, શબ્દ–રસ–રૂપ–ગંધ–વ્યક્તિવિહીન છે,
નિર્દિષ્ટ નહિ સંસ્થાન જીવનું, ગ્રહણ લિંગ થકી નહીં. ૪૯.

ગાથાર્થઃ– હે ભવ્ય! તું [जीवम्] જીવને [अरसम्] રસરહિત, [अरूपम्] રૂપરહિત, [अगन्धम्] ગંધરહિત, [अव्यक्तं] અવ્યક્ત અર્થાત્ ઇંદ્રિયોને ગોચર નથી એવો, [चेतनागुणम्] ચેતના જેનો ગુણ છે એવો, [अशब्दम्] શબ્દરહિત, [अलिङ्गग्रहणं] કોઈ ચિહ્નથી જેનું ગ્રહણ નથી એવો અને [अनिर्दिष्टसंस्थानम्] જેનો કોઈ આકાર કહેવાતો નથી એવો [जानीहि] જાણ.

ટીકાઃ– જે જીવ છે તે ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં રસગુણ વિધમાન નથી માટે અરસ છે. ૧. પુદ્ગલદ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ રસગુણ નથી માટે અરસ છે. ૨. પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ રસ ચાખતો નથી માટે અરસ છે. ૩. પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપશમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ રસ ચાખતો નથી માટે અરસ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રસવેદનાપરિણામને પામીને રસ ચાખતો નથી માટે અરસ છે. પ. (તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે પરંતુ) સકલ જ્ઞેયજ્ઞાયકના તાદ્રાત્મ્યનો (-એકરૂપ થવાનો) નિષેધ હોવાથી રસના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે રસરૂપે પરિણમતો નથી માટે અરસ છે. ૬. આમ છ પ્રકારે રસના નિષેધથી તે અરસ છે.