સમયસાર ગાથા-૪૯ ] [ ૬૧
स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रम्।
इममुपरि चरन्तं चारु विश्वस्य साक्षात्
कलयतु परमात्मात्मानमात्मन्यनन्तम्।। ३५ ।।
_________________________________________________________________
આ પ્રમાણે રસ, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ, સંસ્થાન અને વ્યક્તપણાનો અભાવ હોવા છતાં પણ સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી અનુમાનગોચરમાત્રપણાના અભાવને લીધે (જીવને) અલિંગગ્રહણ કહેવામાં આવે છે.
પોતાના અનુભવમાં આવતા ચેતનાગુણ વડે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે તેથી (જીવ) ચેતનાગુણવાળો છે. કેવો છે ચેતનાગુણ? જે સમસ્ત વિપ્રતિપત્તિઓનો (જીવને અન્ય પ્રકારે માનવારૂપ ઝઘડાઓનો) નાશ કરનાર છે, જેણે પોતાનું સર્વસ્વ ભેદજ્ઞાની જીવોને સોંપી દીધું છે. જે સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત કરી જાણે કે અત્યંત તૃપ્તિ વડે ઠરી ગયો હોય તેમ (અર્થાત્ અત્યંત સ્વરૂપ-સૌખ્ય વડે તૃપ્ત તૃપ્ત હોવાને લીધે સ્વરૂપમાંથી બહાર નીકળવાનો અનુદ્યમી હોય તેમ) સર્વ કાળે કિંચિત્માત્ર પણ ચલાયમાન થતો નથી અને એ રીતે સદાય જરા પણ નહિ ચળતું અન્યદ્રવ્યથી અસાધારણપણું હોવાથી જે (અસાધારણ) સ્વભાવભૂત છે.
-આવો ચૈતન્યરૂપ પરમાર્થસ્વરૂપ જીવ છે. જેનો પ્રકાશ નિર્મળ છે એવો આ ભગવાન આ લોકમાં એક, ટંકોત્કીર્ણ, ભિન્ન જ્યોતિરૂપ વિરાજમાન છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહી એવા આત્માના અનુભવની પ્રેરણા કરે છેઃ-
શ્લોકાર્થઃ– [चित्–शक्ति–रिक्तं] ચિત્શક્તિથી રહિત [सकलम् अपि] અન્ય સકળ ભાવોને [अह्नाय] મૂળથી [विहाय] છોડીને [च] અને [स्फुटतरम्] પ્રગટપણે [स्वं चित्– शक्तिमात्रम्] પોતાના ચિત્શક્તિમાત્ર ભાવનું [अवगाह्य] અવગાહન કરીને, [आत्मा] ભવ્ય આત્મા [विश्वस्य उपरि] સમસ્ત પદાર્થ સમૂહરૂપ લોકના ઉપર [चारु चरन्तं] સુંદર રીતે પ્રવર્તતા એવા [इमम्] આ [परम्] એક કેવળ [अनन्तम्] અવિનાશી [आत्मानम्] આત્માનો [आत्मनि] આત્મામાં જ [साक्षात् कलयतु] અભ્યાસ કરો, સાક્ષાત્ અનુભવ કરો.
ભાવાર્થઃ– આ આત્મા પરમાર્થે સમસ્ત અન્યભાવોથી રહિત ચૈતન્યશક્તિમાત્ર છે; તેના અનુભવનો અભ્યાસ કરો એમ ઉપદેશ છે. ૩પ.
હવે ચિત્શક્તિથી અન્ય જે ભાવો છે તે બધા પુદ્ગલદ્રવ્યસંબંધી છે એવી આગળની ગાથાની સૂચનિકારૂપે શ્લોક કહે છેઃ-