૮૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ સમ્યક્ત્વીને જ એ ખબર છે કે પોતાની રાગરહિત વસ્તુ પોતાના જ્ઞાનભાવથી જણાય છે, રાગથી નહિ.
આત્મા જ્ઞાન’ લક્ષણ દ્વારા જણાય છે. જ્ઞાન લક્ષણ કહો કે ઉપયોગ કહો, તે દ્વારા આત્મા જણાય છે. ઉપયોગના બે પ્રકાર છે. (૧) ઉપયોગ એટલે જાણવું-દેખવું એવો ત્રિકાળી ગુણ અને (૨) ઉપયોગ એટલે આ જાણવું-દેખવું ત્રિકાળ છે એમ નિર્ણય કરનારી પર્યાય. જાણનાર પર્યાય વ્યક્ત છે અને પ્રસિદ્ધ છે. જાણવું, જાણવું, જાણવું એ લક્ષણ પ્રસિદ્ધ છે. તેનાથી પ્રસાધ્યમાન આત્માને સાધી શકાય છે, જાણી શકાય છે.
વર્તમાન જ્ઞાનની દશાને અંતરમાં વાળતાં આત્મા જણાય એ ટૂંકી અને ટચ વાત છે. ‘પરથી ખસ, સ્વમાં વસ, ટૂંકું ટચ, એટલું બસ.’ એને વિસ્તારથી સમજાવે છે કે પરથી ખસવું એટલે શું? સ્વમાં વસવું એટલે શું? અને સ્વવસ્તુ શું? જ્ઞાનસ્વભાવી વસ્તુ આત્માનું જ્ઞાન અને અનુભવ કેમ થાય એ માત્ર ભેદજ્ઞાનીઓ જ યથાર્થ જાણે છે.
ભાઈ! પરિભ્રમણ કરીને ૮૪ લાખ યોનિમાં અનંતવાર અવતાર કર્યા. અહીં કોઈ આકરો રોગ શરીરમાં આવે અને થોડો કાળ એમાં જાય તો રાડ નાખે છે. એ રોગની પીડા, નરકની પ્રતિકૂળતાથી તો અનંતમાં ભાગે છે. પરમાધામી (એક જાતના દેવો) નરકમાં શરીરના ઝીણા ઝીણા કટકા કરી નાખે છે અને જેમ વિખરાયેલો પારો ભેગો થઈ જાય તેમ તે કટકા પાછા ભેગા થઈ જાય છે. આવી નરકની પીડામાં તું અનંતવાર ગયો છે, ભાઈ! તારી સ્વવસ્તુના ભાન વિના અર્થાત્ સમ્યગ્દર્શન વિના આવાં અનંત દુઃખો તેં ભોગવ્યાં છે. માટે હવે તો જેવી વસ્તુની સ્થિતિ છે તેવો એકવાર અનુભવ કર. અહા! જન્મ-મરણના દુઃખનો અંત લાવવાનો એક આ જ ઉપાય છે.
વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું સંતો જાહેર કરે છે. કોઈને ગમે કે ન ગમે તેની સાથે શું સંબંધ? કોઈ નિશ્ચયાભાસી કહે કે એકાન્તી કહે. આ તો વસ્તુના ઘરની, નિજ ઘરની વાત છે. નિયમસારમાં આવે છે કે કોઈ આવા સુંદર માર્ગની નિંદા કરે તેથી હે ભાઈ! તું આવા ઉત્તમ લોકોત્તર માર્ગ પ્રત્યે અભક્તિ ન કરીશ, ભક્તિ જ કરજે.
વળી, કેવો છે ચેતનાગુણ? જે સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત કરી લે છે. અહા! કેવળજ્ઞાનની પર્યાયનું એટલું સામર્થ્ય છે કે તે લોકાલોકની પર્યાયને કોળિયો કરી જાય છે. અરે! એથી અનંતગણું હોય તોપણ જાણે એવું એનું અચિંત્ય સામર્થ્ય છે. શ્રુતજ્ઞાનની પર્યાયમાં પણ આટલી તાકાત છે; ફક્ત પ્રત્યક્ષ, પરોક્ષનો ભેદ છે. એક સમયની વ્યક્ત પર્યાયમાં પર્યાયનું અને દ્રવ્યનું બન્નેનું જ્ઞાન થાય છે. એક સમયની પર્યાયના જ્ઞાનમાં છ દ્રવ્યનું જ્ઞાન આવી જાય છે. આ વાત છેલ્લે ૧૪ કળશો લીધા છે તેમાં આવે છે.
એવા લોકાલોકને ગ્રાસીભૂત કરીને અત્યંત તૃપ્તિ વડે ઠરી ગયો છે. અહાહા! અનંત