Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 599 of 4199

 

સમયસાર ગાથા-૪૯ ] [ ૮૧ આનંદનો નાથ અંદરથી જાગ્યો તે આનંદનો અનુભવ કરે છે. જેમાં પ્રતિસમય આનંદ પ્રગટે છે તે આનંદનો ભોગવનાર આત્મા અત્યંત તૃપ્ત થઈ ગયો છે.

દ્રષ્ટિમાં સ્વભાવની અપેક્ષાએ રાગનો ભોગવનાર જ્ઞાની નથી. પરંતુ જ્ઞાનની અપેક્ષાએ જુઓ તો ધર્મી સાધક આનંદનો ભોક્તા છે અને રાગનો પણ ભોક્તા છે. રાગ ભોગવવા યોગ્ય છે એમ એને બુદ્ધિ નથી, પણ વેદનમાં છે એ અપેક્ષાએ ભોક્તા કહ્યો છે.

ભાઈ! આ અવસરમાં પણ તું આ તત્ત્વને નહિ સમજે તો કયારે સમજીશ?

જેમ બ્રાહ્મણ લચપચ લાડુ ખાઈને (તૃપ્ત થયો હોય તેમ) મલપતો ચાલે તેમ ધર્મી આનંદમાં મલપતો ચાલે છે. ધર્મી અત્યંત સ્વરૂપસૌખ્ય વડે તૃપ્ત તૃપ્ત હોવાને લીધે એવો ઠરી ગયો છે કે સ્વરૂપમાંથી બહાર નીકળવાનો અનુદ્યમી હોય તેમ સર્વકાળે કિંચિત્માત્ર પણ ચલાયમાન થતો નથી. પૂર્ણ દશા થવાથી સર્વકાળે કિંચિત્માત્ર પણ ચલિત થતો નથી. આવી દશાને પૂર્ણ દશા અર્થાત્ અનુભવનું ફળ કહે છે. એ રીતે સદાય જરાપણ નહિ ચળતું અન્યદ્રવ્યથી અસાધારણપણું હોવાથી ચેતનાગુણ સ્વભાવભૂત છે.

ધર્મી જીવ અંદરમાં એવો તૃપ્ત-તૃપ્ત ઠરી ગયો છે કે હવે પછીનો કાળ આત્મ-તત્ત્વના આનંદના ભોગવટામાં જ વહેશે. અહો! સમયસારમાં તો ચૌદ બ્રહ્માંડના ભાવો ભર્યા છે. એવા કાળે અને એવી શૈલીએ એ લખાઈ ગયું છે કે એમાં કાંઈ અધૂરાશ રહી નથી.

-આવો ચૈતન્યરૂપ પરમાર્થસ્વરૂપ જીવ છે. પરમાર્થ એટલે પરા કહેતાં ઉત્તમ અને મા એટલે લક્ષ્મી અર્થ એટલે પદાર્થ-ઉત્તમ લક્ષ્મીવાળો પદાર્થ. ચૈતન્યની ઉત્તમ લક્ષ્મીવાળો જીવ પદાર્થ છે-એ પરમાર્થ છે. જેનો પ્રકાશ નિર્મળ છે એવો આ ભગવાન આ લોકમાં એક ટંકોત્કીર્ણ ભિન્ન જ્યોતિરૂપ બિરાજમાન છે. જાણે ઘડતર કરીને અંદરથી કાઢયું હોય એવો એકરૂપ શાશ્વત તથા ભિન્ન ચૈતન્યજ્યોતિરૂપ ભગવાન બિરાજમાન છે તેને આત્મા કહેવામાં આવે છે.

હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહી એવા આત્માના અનુભવની પ્રેરણા કરે છેઃ-

* કળશ ૩પઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

चित्शक्तिरिक्तम् सकलम् अपि अह्नाय विहाय-શું કહે છે? ચિત્શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને મૂળથી છોડીનેઃ-જુઓ, આત્મા જ્ઞાનસામર્થ્યરૂપ છે. અને આ શુભાશુભ ભાવો ચિત્શક્તિથી રિક્ત કહેતાં ખાલી છે, ભિન્ન છે. ચાહે તો તીર્થંકર નામકર્મ બાંધનારો ભાવ હો. પંચમહાવ્રતનો વિકલ્પ હો કે ગુણગુણીના ભેદનો વિકલ્પ હો-એ બધા ચૈતન્યશક્તિથી ખાલી અનેરા ભાવો છે. એ સર્વ ભાવોને મૂળમાંથી તું છોડ એમ કહે છે.

च स्फुटतरम् स्वं चित्शक्तिमात्रम् अवगाह्य-અને પ્રગટપણે પોતાના ચિત્શક્તિમાત્ર ભાવનું અવગાહન કરીનેઃ-પોતે પ્રગટ જ્ઞાનસ્વભાવમાત્ર વસ્તુ છે. એમાં ડૂબકી માર,