Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 662 of 4199

 

૧૪૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ પર શુભ-અશુભ ઉપયોગોંસે પરિણમન કરકે જીવન, મરણ, શુભ, અશુભ, કર્મબંધકો કરતા હૈ, ઔર શુદ્ધાત્માનુભૂતિકે પ્રગટ હોનેપર શુદ્ધોપયોગસે પરિણત હોકર મોક્ષકો કરતા હૈ, તો ભી શુદ્ધ પારિણામિક પરમભાવગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિકનયકર ન બંધકા ર્ક્તા હૈ, ઔર ન મોક્ષકા ર્ક્તા હૈ. ઐસા કથન સુનકર શિષ્યને પ્રશ્ન કિયા કિ-હે પ્રભો, શુદ્ધ દ્રવ્યાર્થિકસ્વરૂપ શુદ્ધનિશ્ચયનયકર મોક્ષકા ભી ર્ક્તા નહિ, તો ઐસા સમઝના ચાહિયે કિ-શુદ્ધનયકર મોક્ષ હી નહીં હૈ; જબ મોક્ષ નહિ, તબ મોક્ષકે લિયે યત્ન કરના વૃથા હૈ.” આત્મામાં બંધમોક્ષ નથી તો પછી મોક્ષ કરવાનો પુરુષાર્થ વૃથા છે. એનો ઉત્તર કહે છે-

“મોક્ષ હૈ વહ બંધપૂર્વક હૈ, ઔર બંધ હૈ વહ શુદ્ધનિશ્ચયનયકર હોતા હી નહીં; ઇસ કારણ બંધકે અભાવરૂપ મોક્ષ હૈ વહ ભી શુદ્ધનિશ્ચયનયકર નહીં હૈ. જો શુદ્ધનિશ્ચયનયસે બંધ હોતા, તો હમેશા બંધા હી રહતા, કભી બંધકા અભાવ ન હોતા.” જુઓ, વ્યવહારનયથી- અશુદ્ધનયથી પર્યાયમાં બંધ છે અને બંધના અભાવપૂર્વક મોક્ષનો માર્ગ તથા મોક્ષ પણ છે. પરંતુ તે બધું વ્યવહારનયથી છે. નિશ્ચયનયથી તો બંધ કે મોક્ષ નથી તથા બંધ કે મોક્ષના કારણો પણ નથી. અહા! જૈનદર્શન ખૂબ ઝીણું છે. પર્યાયમાં બંધ છે અને બંધના નાશનો ઉપાય પણ છે. પણ તે બધું વ્યવહાર છે. મોક્ષમાર્ગની પર્યાય પણ વ્યવહાર છે. વ્યવહારરત્નત્રયનો શુભભાવ કે જેને વ્યવહાર મોક્ષમાર્ગ કહેવાય છે એની આ વાત નથી. પણ વસ્તુ જે નિર્મળ આનંદસ્વરૂપ ભગવાન છે તેની પરિણતિમાં શુદ્ધરત્નત્રયરૂપ મોક્ષમાર્ગની દશા થવી તે પર્યાય હોવાથી વ્યવહાર છે એમ વાત છે. વ્યવહારે બંધ છે અને વ્યવહારે મોક્ષ તથા મોક્ષનો માર્ગ છે. આ જ વાત દોહા ૬૮ ની ટીકામાં આગળ દ્રષ્ટાંતથી કહી છેઃ-

“કોઈ એક પુરુષ સાંકલસે બંધ રહા હૈ, ઔર કોઈ એક પુરુષ બંધરહિત હૈ; ઉનમેંસે જો પહલે બંધા થા, ઉસકો તો ‘મુક્ત’ ઐસા કહના ઠીક માલૂમ પડતા હૈ, ઔર દૂસરા જો બંધા હી નહીં, ઉસકો જો ‘આપ છૂટ ગયે’ ઐસા કહા જાય તો વહ ક્રોધ કરે-કિ મૈં કબ બંધા થા સો યહ મુઝે ‘છૂટા’ કહતા હૈ; બંધા હોવે વહ છૂટે, ઇસલિયે બંધેકો તો મોક્ષ કહના ઠીક હૈ, ઔર બંધા હી ન હો ઉસે છૂટે કૈસે કહ સક્તે હૈ? ઉસી પ્રકાર યહ જીવ શુદ્ધનિશ્ચયનયકર બંધા હુઆ નહીં હૈ. ઇસ કારણ મુક્ત કહના ઠીક નહિ હૈ. બંધ ભી વ્યવહારનયકર ઔર મુક્તિ ભી વ્યવહારનયકર હૈ; શુદ્ધનિશ્ચયનયકર ન બંધ હૈ, ન મોક્ષ હૈ ઔર અશુદ્ધનયકર બંધ હૈ, ઇસલિયે બંધકે નાશકા યત્ન ભી અવશ્ય કરના ચાહિયે.” માટે પર્યાયમાં બંધ, બંધના નાશનો ઉપાય મોક્ષમાર્ગ અને મોક્ષ એ સઘળું વ્યવહારનયથી છે પરંતુ ત્રિકાળી દ્રવ્યસ્વભાવમાં એ નથી. આ પ્રમાણે અપેક્ષાથી યથાર્થ સમજવું જોઈએ.

આ કથનથી એમ ન સમજવું કે વ્યવહાર છે માટે તે વ્યવહાર, નિશ્ચયનું કારણ છે.