संसारावस्थायामेव जीवस्य वर्णादितादात्म्यमित्यभिनिवेशेऽप्ययमेव दोषः–
तम्हा संसारत्था जीवा रूवित्तमावण्णा।। ६३ ।।
णिव्वाणमुवगदो वि य जीवत्तं णोग्गलो पत्तो।। ६४ ।।
तस्मात्संसारस्था जीवा रूपित्वमापन्नाः।। ६३ ।।
एवं पुद्गलद्रव्यं जीवस्तथालक्षणेन मूढमते।
निर्वाणमुपगतोऽपि च जीवत्वं पुद्गलः प्राप्तः।। ६४ ।।
_________________________________________________________________
હવે, ‘માત્ર સંસાર-અવસ્થામાં જ જીવને વર્ણાદિક સાથે તાદાત્મ્ય છે’ એવા અભિપ્રાયમાં પણ આ જ દોષ આવે છે એમ કહે છેઃ-
સંસારમાં સ્થિત સૌ જીવો પામ્યા તદ્રા રૂપિત્વને; ૬૩.
ને મોક્ષપ્રાપ્ત થતાંય પુદ્ગલદ્રવ્ય પામ્યું જીવત્વને! ૬૪.
ગાથાર્થઃ– [अथ] અથવા જો [तव] તારો મત એમ હોય કે [संसारस्थानां जीवानां] સંસારમાં સ્થિત જીવોને જ [वर्णादयः] વર્ણાદિક (તાદાત્મ્યસ્વરૂપે) [भवन्ति] છે, [तस्मात्] તો તે કારણે [संसारस्थाः जीवाः] સંસારમાં સ્થિત જીવો [रूपित्वम् आपन्नाः] રૂપીપણાને પામ્યા; [एवं] એમ થતાં, [तथालक्षणेन] તેવું લક્ષણ તો (અર્થાત્ રૂપીપણું લક્ષણ તો) પુદ્ગલદ્રવ્યનું હોવાથી, [मूढमते] હે મૂઢબુદ્ધિ! [पुद्गलद्रव्यं] પુદ્ગલદ્રવ્ય તે જ [जीवः] જીવ ઠર્યું [च] અને (માત્ર સંસારઅવસ્થામાં જ નહિ પણ) [निर्वाणम् उपगतः अपि] નિર્વાણ પામ્યે પણ [पुद्गलः] પુદ્ગલ જ [जीवत्वं] જીવપણાને [प्राप्तः] પામ્યું!