Pravachan Ratnakar (Gujarati). Gatha: 65-66.

< Previous Page   Next Page >


PDF/HTML Page 690 of 4199

 

* ગાથા ૬પ–૬૬ *

एवमेतत् स्थितं यद्वर्णादयो भावा न जीव इति–

एक्कं च दोण्णि तिण्णि य चत्तारि य पंच इंदिया जीवा।
बादरपज्जत्तिदरा पयडीओ णामकम्मस्स।। ६५ ।।
एदाहि य णिव्वत्ता जीवट्ठाणा उ करणभूदाहिं।
पयडीहिं पोग्गलमइहिं ताहिं कहं भण्णदे जीवो।। ६६ ।।

एकं वा द्वे त्रीणि च चत्वारि च पञ्चेन्द्रियाणि जीवाः।
बादरपर्याप्तेतराः प्रकृतयो नामकर्मणः।। ६५ ।।

एताभिश्च निर्वृत्तानि जीवस्थानानि करणभूताभिः।
प्रकृतिभिः पुद्गलमयीभिस्ताभिः कथं भण्यते जीवः।। ६६ ।।

_________________________________________________________________

આ રીતે એ સિદ્ધ થયું કે વર્ણાદિક ભાવો જીવ નથી, એમ હવે કહે છેઃ-

જીવ એક–દ્વિ–ત્રિ–ચર્તુ–પંચેન્દ્રિય, બાદર, સૂક્ષ્મ ને
પર્યાપ્ત આદિ નામકર્મ તણી પ્રકૃતિ છે ખરે. ૬પ.
પ્રકૃતિ આ પુદ્ગલમયી થકી કરણરૂપ થતાં અરે,
રચના થતી જીવસ્થાનની જે, જીવ કેમ કહાય તે? ૬૬.

ગાથાર્થઃ– [एकं वा] એકેંદ્રિય, [द्वे] દ્વીંદ્રિય, [त्रीणि च] ત્રીંદ્રિય, [चत्वारि च] ચતુરિંદ્રિય, [पञ्चेन्द्रियाणि] પંચેંદ્રિય, [बादरपर्याप्तेतराः] બાદર, સૂક્ષ્મ, પર્યાપ્ત અને અપર્યાપ્ત [जीवाः] જીવો-એ [नामकर्मणः] નામકર્મની [प्रकृतयः] પ્રકૃતિઓ છે; [एताभिः च] [प्रकृतिभिः] પ્રકૃતિઓ [पुद्गलमयीभिः ताभिः] કે જેઓ પદ્ગલમય તરીકે પ્રસિદ્ધ છે તેમના વડે [करणभूताभिः] કરણસ્વરૂપ થઈને [निर्वृत्तानि] રચાયેલાં [जीवस्थानानि] જે જીવસ્થાનો (જીવસમાસ) છે તેઓ [जीवः] જીવ [कथं] કેમ [भण्यते] કહેવાય?

ટીકાઃ– નિશ્ચયનયે કર્મ અને કરણનું અભિન્નપણું હોવાથી, જે જેના વડે કરાય છે (-થાય છે) તે તે જ છે- એમ સમજીને (નિશ્ચય કરીને), જેમ સુવર્ણનું પાનું