Pravachan Ratnakar (Gujarati). Gatha: 67.

< Previous Page   Next Page >


PDF/HTML Page 708 of 4199

 

* ગાથા–૬૭ *
शेषमन्यद्वयवहारमात्रम्–
पज्जत्तापज्जत्ता जे सुहुमा बादरा य जे चेव।
देहस्स जीवसण्णा सुत्ते ववहारदो उत्ता।। ६७ ।।
पर्याप्तापर्याप्ता ये सूक्ष्मा बादराश्च ये चैव।
देहस्य जीवसंज्ञाः सूत्रे व्यवहारतः उक्ताः।। ६७ ।।

_________________________________________________________________

હવે, આ જ્ઞાનઘન આત્મા સિવાય જે કાંઈ છે તેને જીવ કહેવું તે સર્વ વ્યવહારમાત્ર છે એમ કહે છેઃ-

પર્યાપ્ત અણપર્યાપ્ત, જે સૂક્ષમ અને બાદર બધી
કહી જીવસંજ્ઞા દેહને તે સૂત્રમાં વ્યવહારથી. ૬૭.

ગાથાર્થઃ– [ये] જે [पर्याप्तापर्याप्ताः] પર્યાપ્ત, અપર્યાપ્ત [सूक्ष्माः बादराः च] સૂક્ષ્મ અને બાદર આદિ [ये च एव] જેટલી [देहस्य] દેહને [जीवसंज्ञाः] જીવસંજ્ઞા કહી છે તે બધી [सूत्रे] સૂત્રમાં [व्यवहारतः] વ્યવહારથી [उक्ताः] કહી છે.

ટીકાઃ– બાદર, સૂક્ષ્મ, એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિયપર્યાપ્ત, અપર્યાપ્ત-એ દેહની સંજ્ઞાઓને (નામોને) સૂત્રમાં જીવસંજ્ઞાપણે કહી છે, તે પરની પ્રસિદ્ધને લીધે, ‘ઘીના ઘડા’ની જેમ વ્યવહાર છે-કે જે વ્યવહાર અપ્રયોજનાર્થ છે (અર્થાત્ તેમાં પ્રયોજનભૂત વસ્તુ નથી). તે વાતને સ્પષ્ટ કહે છેઃ-

જેમ કોઈ પુરુષને જન્મથી માંડીને માત્ર ‘ઘીનો ઘડો’ જ પ્રસિદ્ધ (જાણીતો) હોય, તે સિવાયના બીજા ઘડાને તે જાણતો ન હોય, તેને સમજાવવા “જે આ ‘ઘીનો ઘડો’ છે તે માટીમય છે, ઘીમય નથી” એમ (સમજાવનાર વડે) ઘડામાં ‘ઘીના ઘડા’ નો વ્યવહાર કરવામાં આવે છે, કારણ કે પેલા પુરુષને ‘ઘીનો ઘડો’ જ પ્રસિદ્ધ (જાણીતો) છે; તેવી રીતે આ અજ્ઞાની લોકને અનાદિ સંસારથી માંડીને ‘અશુદ્ધ જીવ’ જ પ્રસિદ્ધ છે, શુદ્ધ જીવને તે જાણતો નથી, તેને સમજાવવા (-શુદ્ધ જીવનું જ્ઞાન કરાવવા) “જે આ ‘વર્ણાદિમાન (વર્ણાદિવાળો) જીવ’ છે તે જ્ઞાનમય છે, વર્ણાદિમય નથી” એમ (સૂત્ર વિષે) જીવમાં વર્ણાદિમાનપણાનો વ્યવહાર કરવામાં આવ્યો છે, કારણ કે તે અજ્ઞાની લોકને ‘વર્ણાદિમાન જીવ’ જ પ્રસિદ્ધ છે.