Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 722 of 4199

 

૨૦૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩

(मंदाक्रान्ता)
इत्थं ज्ञानक्रकचकलनापाटनं नाटयित्वा
जीवाजीवौ स्फुटविघटनं नैव यावत्प्रयातः।
विश्वं व्याप्य प्रसभविकसद्वयक्तचिन्मात्रशक्त्या
ज्ञातृद्रव्यं स्वयमतिरसात्तावदुच्चैश्चकाशे।। ४५ ।।

_________________________________________________________________

હવે, ભેદજ્ઞાનની પ્રવૃત્તિ દ્વારા આ જ્ઞાતાદ્રવ્ય પોતે પ્રગટ થાય છે એમ કળશમાં મહિમા કરી અધિકાર પૂર્ણ કરે છેઃ-

શ્લોકાર્થઃ– [इत्थं] આ પ્રમાણે [ज्ञान–क्रकच–कलना–पाटनं] જ્ઞાનરૂપી કરવતનો જે વારંવાર અભ્યાસ તેને [नाटयित्वा] નચાવીને [यावत्] જ્યાં [जीवाजीवौ] જીવ અને અજીવ બન્ને [स्फुट–विघटनं त एव प्रयातः] પ્રગટપણે જુદા ન થયા, [तावत्] ત્યાં તો [ज्ञातृद्रव्यं] જ્ઞાતાદ્રવ્ય, [प्रसभ–विकसत्–व्यक्त–चिन्मात्रशक्तया] અત્યંત વિકાસરૂપ થતી પોતાની પ્રગટ ચિન્માત્રશક્તિ વડે [विश्वं व्याप्य] વિશ્વને વ્યાપીને, [स्वयम्] પોતાની મેળે જ [अतिरसात्] અતિ વેગથી [उच्चैः] ઉગ્રપણે અર્થાત્ અત્યંતપણે [चकाशे] પ્રકાશી નીકળ્‌યું.

ભાવાર્થઃ– આ કળશનો આશય બે રીતે છેઃ-

ઉપર કહેલા જ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં જ્યાં જીવ અને અજીવ બન્ને સ્પષ્ટ ભિન્ન સમજાયા કે તુરત જ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયો-સમ્યગ્દર્શન થયું. (સમ્યગ્દ્રષ્ટિ આત્મા શ્રુતજ્ઞાન વડે વિશ્વના સમસ્ત ભાવોને સંક્ષેપથી અથવા વિસ્તારથી જાણે છે અને નિશ્ચયથી વિશ્વને પ્રત્યક્ષ જાણવાનો તેનો સ્વભાવ છે; માટે તે વિશ્વને જાણે છે એમ કહ્યું.) એક આશય તો એ પ્રમાણે છે.

બીજો આશય આ પ્રમાણે છેઃ જીવ-અજીવનો અનાદિ જે સંયોગ તે કેવળ જુદો પડયા પહેલાં અર્થાત્ જીવનો મોક્ષ થયા પહેલાં, ભેદજ્ઞાન ભાવતાં ભાવતાં અમુક દશા થતાં નિર્વિકલ્પ ધારા જામી-જેમાં કેવળ આત્માનો અનુભવ રહ્યો; અને તે શ્રેણિ અત્યંત વેગથી આગળ વધતાં વધતાં કેવળજ્ઞાન પ્રગટ થયું. પછી અઘાતીકર્મનો નાશ થતાં જીવદ્રવ્ય અજીવથી કેવળ ભિન્ન થયું. જીવ-અજીવના ભિન્ન થવાની આ રીત છે. ૪પ.

ટીકાઃ– આ પ્રમાણે જીવ અને અજીવ જુદા જુદા થઈને (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયા.

ભાવાર્થઃ– જીવ-અજીવ અધિકારમાં પહેલાં રંગભૂમિસ્થળ કહીને ત્યાર પછી ટીકાકાર આચાર્યે એમ કહ્યું હતું કે નૃત્યના અખાડામાં જીવ-અજીવ બન્ને એક થઈને પ્રવેશ કરે