कथं ज्ञानास्रवनिवृत्त्योः समकालत्वमिति चेत्–
दुक्खा दुक्खफल त्ति य णादूण णिवत्तदे तेहिं।। ७४।।
दुःखानि दुःखफला इति च ज्ञात्वा निवर्तते तेभ्यः।। ७४।।
હવે પૂછે છે કે જ્ઞાન થવાનો અને આસ્રવોની નિવૃત્તિનો સમકાળ (એક કાળ) કઈ રીતે છે? તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-
એ દુઃખ,
ગાથાર્થઃ– [एते] આ આસ્રવો [जीवनिबद्धाः] જીવની સાથે નિબદ્ધ છે, [अध्रुवाः] અધ્રુવ છે, [अनित्याः] અનિત્ય છે [तथा च] તેમ જ [अशरणाः] અશરણ છે, [च] વળી તેઓ [दुःखानि] દુઃખરૂપ છે, [दुःखफलाः] દુઃખ જ જેમનું ફળ છે એવા છે, - [इति ज्ञात्वा] એવું જાણીને જ્ઞાની [तेभ्यः] તેમનાથી [निवर्तते] નિવૃત્તિ કરે છે.
ટીકાઃ– વૃક્ષ અને લાખની જેમ વધ્ય-ઘાતકસ્વભાવપણું હોવાથી આસ્રવો જીવ સાથે બંધાયેલા છે; પરંતુ અવિરુદ્ધસ્વભાવપણાનો અભાવ હોવાથી તેઓ જીવ જ નથી. (લાખના નિમિત્તથી પીપળ આદિ વૃક્ષનો નાશ થાય છે. લાખ ઘાતક અર્થાત્ હણનાર છે અને વૃક્ષ વધ્ય અર્થાત્ હણાવાયોગ્ય છે. આ રીતે લાખ અને વૃક્ષનો સ્વભાવ એકબીજાથી વિરુદ્ધ છે માટે લાખ વૃક્ષ સાથે માત્ર બંધાયેલી જ છે; લાખ પોતે વૃક્ષ નથી. તેવી રીતે આસ્રવો ઘાતક છે અને આત્મા વધ્ય છે. આમ વિરુદ્ધ સ્વભાવો હોવાથી આસ્રવો પોતે જીવ નથી.) આસ્રવો વાઈના વેગની જેમ વધતા-ઘટતા હોવાથી અધ્રુવ છે; ચૈતન્યમાત્ર જીવ જ ધ્રુવ છે. આસ્રવો શીતદાહજ્વરના આવેશની જેમ અનુક્રમે ઉત્પન્ન થતા હોવાથી અનિત્ય છે; વિજ્ઞાનઘન જેનો સ્વભાવ છે એવો જીવ જ નિત્ય છે. જેમ કામસેવનમાં વીર્ય છૂટી જાય તે ક્ષણે જ દારુણ કામનો સંસ્કાર નાશ પામી જાય છે, કોઈથી રોકી રાખી શકાતો નથી, તેમ કર્મોદય છૂટી જાય તે ક્ષણે જ આસ્રવો નાશ પામી જાય છે, રોકી રાખી શકાતા નથી, માટે તેઓ અશરણ છે; આપોઆપ (પોતાથી જ) રક્ષિત