Pravachan Ratnakar (Gujarati). Gatha: 5.

< Previous Page   Next Page >


PDF/HTML Page 85 of 4199

 

જીવ–અજીવ અધિકાર

*
ગાથા–પ

अत एवैतदुपदर्श्यते–

तं एयतविहत्तं दाएहं अप्पणो सविहवेण।
जदि दाएज्ज पमाणं चुक्केज्ज छंल ण घेत्तव्वं।।
५।।

तमेकत्वविभक्तं दर्शयेऽहमात्मनः स्वविभवेन।
यदि दर्शयेयं प्रमाणं स्खलेयं छलं न गृहीतव्यम्।। ५।।

હવે આચાર્ય કહે છે કે, તેથી જ જીવોને તે ભિન્ન આત્માનું એકત્વ અમે દર્શાવીએ છીએઃ-

દર્શાવું એક વિભક્ત એ, આત્મા તણા નિજ વિભવથી;
દર્શાવું તો કરજો પ્રમાણ, ન દોષ ગ્રહ સ્ખલના યદિ. પ.

ગાથાર્થઃ– [तम्] તે [एकत्वविभक्तं] એકત્વવિભક્ત આત્માને [अहं] હું [आत्मनः] આત્માના [स्वविभवेन] નિજ વૈભવ વડે [दर्शये] દેખાડું છું; [यदि] જો હું [दर्शयेयं] દેખાડું તો [प्रमाणं] પ્રમાણ (સ્વીકાર) કરવું અને [स्खलेयं] જો કોઈ ઠેકાણે ચૂકી જાઉં તો [छलं] છળ [न] [गृहीतव्यम्] ગ્રહણ કરવું.

ટીકાઃ– આચાર્ય કહે છે કે જે કાંઈ મારા આત્માનો નિજવૈભવ છે તે સર્વથી હું આ એકત્વ-વિભક્ત આત્માને દર્શાવીશ એવો મેં વ્યવસાય (ઉદ્યમ, નિર્ણય) કર્યો છે. કેવો છે મારા આત્માનો નિજવિભવ? આ લોકમાં પ્રગટ સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર અને ‘स्यात्’ પદની મુદ્રાવાળો જે શબ્દબ્રહ્મ-અર્હંતના પરમાગમ-તેની ઉપાસનાથી જેનો જન્મ છે. (‘स्यात्’ નો અર્થ ‘કથંચિત્’ છે એટલે કે ‘કોઈ પ્રકારથી કહેવું’. પરમાગમને શબ્દબ્રહ્મ કહ્યાં તેનું કારણઃ અર્હંતના પરમાગમમાં સામાન્ય ધર્મો- વચનગોચર સર્વ ધર્મો-નાં નામ આવે છે; અને વચનથી અગોચર જે કોઈ વિશેષ ધર્મો છે તેમનું