Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 867 of 4199

 

સમયસાર ગાથા ૭પ ] [ ૯પ

(शार्दूलविक्रोडित)

व्याप्यव्यापकता तदात्मनि भवेन्नैवातदात्मन्यपि
व्याप्यव्यापकभावसम्भवमृते का कर्तृकर्मस्थितिः।
इत्युद्दामविवेकघस्मरमहोभारेण भिन्दंस्तमो
ज्ञानीभूय तदा स एष लसितः कर्तृत्वशून्यः पुमान्।। ४९।।

અને જેમ ઘડાને અને માટીને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે તેમ આત્મપરિણામને અને આત્માને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે. આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી આત્મપરિણામનો એટલે કે પુદ્ગલપરિણામના જ્ઞાનનો કર્તા છે અને પુદ્ગલપરિણામનું જ્ઞાન તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી (વ્યાપ્યરૂપ થતું હોવાથી) કર્મ છે. વળી આ રીતે (જ્ઞાતા પુદ્ગલપરિણામનું જ્ઞાન કરે છે તેથી) એમ પણ નથી કે પુદ્ગલપરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે; કારણ કે પુદ્ગલને અને આત્માને જ્ઞેયજ્ઞાયકસંબંધનો વ્યવહારમાત્ર હોવા છતાં પણ પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય છે. (માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે.)

હવે આ જ અર્થના સમર્થનનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [व्याप्यव्यापकता तदात्मनि भवेत्] વ્યાપ્યવ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય, [अतदात्मनि अपि न एव] અતત્સ્વરૂપમાં ન જ હોય. અને [व्याप्यव्यापकभावसम्भवम् ऋते] વ્યાપ્યવ્યાપકભાવના સંભવ વિના [कर्तृकर्मस्थितिः का] કર્તાકર્મની સ્થિતિ કેવી? અર્થાત્ કર્તાકર્મની સ્થિતિ ન જ હોય. [इति उद्दाम–विवेक–घस्मर–महोभारेण] આવો પ્રબળ વિવેકરૂપ, અને સર્વને ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે એવો જે જ્ઞાનપ્રકાશ તેના ભારથી [तमः भिन्दन्] અજ્ઞાન-અંધકારને ભેદતો, [सः एषः पुमान्] આ આત્મા [ज्ञानीभूय] જ્ઞાનસ્વરૂપ થઈને, [तदा] તે કાળે [कर्तृत्वशून्यः लसितः] કર્તૃત્વરહિત થયેલો શોભે છે.

ભાવાર્થઃ– જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે તો વ્યાપક છે અને કોઈ એક અવસ્થાવિશેષ તે, (તે વ્યાપકનું) વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે. દ્રવ્ય- પર્યાય અભેદરૂપ જ છે. જે દ્રવ્યનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ તે જ પર્યાયનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ. આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય છે. આવું વ્યાપ્યવ્યાપકપણું તત્સ્વરૂપમાં જ (અર્થાત્ અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ) હોય; અતત્સ્વરૂપમાં (અર્થાત્ જેમની સત્તા-સત્ત્વ ભિન્ન ભન્નિ છે એવા પદાર્થોમાં) ન જ હોય. જ્યાં વ્યાપ્યવ્યાપકભાવ હોય ત્યાં જ કર્તાકર્મભાવ હોય; વ્યાપ્યવ્યાપકભાવ વિના કર્તાકર્મભાવ ન હોય. આવું જે જાણે તે