Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 895 of 4199

 

સમયસાર ગાથા ૭૬ ] [ ૧૨૩ નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા એવા તે જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી.’

જ્ઞાન રાગને જાણે માટે જ્ઞાન કર્તા અને રાગ એનું કર્મ એમ નથી. તથા રાગ કર્તા અને જાણવાના જ્ઞાનપરિણામ એનું કર્મ એમ પણ નથી. ભાઈ! વસ્તુસ્થિતિને પ્રસિદ્ધ કરનારી આ ૭પ થી ૭૯ સુધીની ગાથાઓ અલૌકિક છે. અહાહા...! દ્રષ્ટિ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય ઉપર પડતાં, રાગ અને પર્યાયની દ્રષ્ટિ છૂટતાં, ભગવાન આત્મા પોતે પ્રસિદ્ધ થાય છે કે-હું તો જાણનાર-દેખનાર આત્મા છું. રાગનો હું કર્તા અને રાગ મારું કર્મ-એવા કર્તાકર્મભાવના સ્વરૂપે હું છું જ નહિ. અહો! પરમ અદ્ભુત વાત સંતોએ કરી છે!

આવું સાંભળવા મળવું મુશ્કેલ હોય એટલે વ્યવહારના રસિયા લોકોને આવું વીતરાગી તત્ત્વ ન સમજાય. પરંતુ ભાઈ! વ્યવહાર એટલે નિમિત્ત, વ્યવહાર એટલે રાગ, વ્યવહાર એટલે દુઃખ, વ્યવહાર એટલે આકુળતા, વ્યવહાર એટલે અસ્થિરતા-આમ વ્યવહારનાં અનેક નામ છે. અસ્થિરતાના પરિણામને (રાગને) શાશ્વત્ સ્થિર એવો ભગવાન આત્મા જાણવાનું કામ કરે. તે જાણવાના-જ્ઞાનના પરિણામની આદિ-મધ્ય-અંતમાં આત્મા પોતે વ્યાપે છે. એટલે રાગ છે માટે જ્ઞાનનું કાર્ય થયું એમ નથી. તથા જ્ઞાન રાગમાં પ્રસરીને રાગને જાણે છે એમ પણ નથી. અહા! ગજબ વાત છે!

વ્યવહારના શુભરાગના જે પરિણામ છે તે આકુળતામય છે, દુઃખરૂપ છે. વ્યવહારરત્નત્રયનો જે રાગ છે તે દુઃખ છે. છહઢાલામાં આવે છે કે-

‘રાગ આગ દહૈ સદા તાતૈ સમામૃત સેઈએ’

જે રાગ છે તે દુઃખ છે. તેને! નિશ્ચયનું સાધન કહેવું એ તો ઉપચારમાત્ર કથન છે, વસ્તુસ્વરૂપ નથી. આવું સાંભળીને કેટલાક પોકારી ઊઠે છે કે-‘એકાંત છે, એકાંત છે;’ પણ ભાઈ! ભગવાન આત્મા પોતાના સ્વભાવમાં જાય ત્યારે સમ્યક્ એકાંત થાય છે. ત્યારે રાગનું પરજ્ઞેય તરીકે જ્ઞાન થાય તેને અનેકાંત કહે છે. માર્ગ તો આ છે, ભાઈ!

રાગ અને ચૈતન્યસ્વભાવ બે ભિન્ન ચીજ છે એવા ભેદજ્ઞાનના અભાવે અરે ભાઈ! તું ચોરાસીના અવતારમાં અનંતકાળ રખડયો. હવે તો ભેદજ્ઞાન કર. અહીં કહે છે કે જે વ્યવહારરત્નત્રયનો રાગ છે તે ક્ષણિક છે, ચૈતન્યસ્વભાવથી વિરુદ્ધ ભાવ છે, વિભાવ છે. એ વિભાવની આદિ-મધ્ય-અંતમાં પુદ્ગલ વ્યાપે છે, આત્મા નહિ. જુઓ, શુભરાગ છે તે ચૈતન્યની-જીવની પર્યાય છે, તે કાંઈ પરની નથી. પણ એ પર્યાય ત્રિકાળી જે ચૈતન્યસ્વભાવ છે તેની જાતની નથી, માટે સ્વભાવની દ્રષ્ટિમાં એને અચેતન ગણીને પુદ્ગલપરિણામ કહી છે.

પ્રશ્નઃ– આત્મા નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગને સાધે છે એમ શાસ્ત્રમાં આવે છે ને?

ઉત્તરઃ– હા, આવે છે. પણ એનો અર્થ શું? નિશ્ચય એ જ એનું કાર્ય છે, અને