Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 915 of 4199

 

સમયસાર ગાથા ૭૯ ] [ ૧૪૩

(स्रग्धरा)

ज्ञानी जानन्नपीमां स्वपरपरिणतिं पुद्गलश्चाप्यजानन्
व्याप्तृव्याप्यत्वमन्तः कलयितुमसहौ नित्यमत्यन्तभेदात्।
अज्ञानात्कर्तृकर्मभ्रममतिरनयोर्भाति तावन्न
यावत्
विज्ञानार्चिश्चकास्ति क्रकचवददयं भेदमुत्पाद्य सद्यः।। ५०।।

ભાવાર્થઃ– કોઈ એમ જાણે કે પુદ્ગલ કે જે જડ છે અને કોઈને જાણતું નથી તેને જીવની સાથે કર્તાકર્મપણું હશે. પરંતુ એમ પણ નથી. પુદ્ગલદ્રવ્ય જીવને ઉત્પન્ન કરી શકતું નથી, પરિણમાવી શકતું નથી તેમ જ ગ્રહી શકતું નથી તેથી તેને જીવ સાથે કર્તાકર્મપણું નથી. પરમાર્થે કોઈ પણ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્યની સાથે કર્તાકર્મભાવ નથી. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [ज्ञानी] જ્ઞાની તો [इमां स्वपरपरिणतिं] પોતાની અને પરની પરિણતિને [जानन् अपि] જાણતો પ્રવર્તે છે [च] અને [पुद्गलः अपि अजानन्] પુદ્ગલદ્રવ્ય પોતાની અને પરની પરિણતિને નહિ જાણતું પ્રવર્તે છે; [नित्यम् अत्यन्त–भेदात्] આમ તેમનામાં સદા અત્યંત ભેદ હોવાથી (બન્ને ભિન્ન દ્રવ્યો હોવાથી), [अन्तः] તે બન્ને પરસ્પર અંતરંગમાં [व्याप्तृव्याप्यत्वम्] વ્યાપ્યવ્યાપકભાવને [कलयितुम् असहौ] પામવા અસમર્થ છે. [अनयोः कर्तृकर्मभ्रममतिः] જીવ-પુદ્ગલને કર્તાકર્મપણું છે એવી ભ્રમબુદ્ધિ [अज्ञानात्] અજ્ઞાનને લીધે [तावत् भाति] ત્યાં સુધી ભાસે છે (-થાય છે) કે [यावत्] જ્યાં સુધી [विज्ञानार्चिः] (ભેદજ્ઞાન કરનારી) વિજ્ઞાનજ્યોતિ [क्रकचवत् अदयं] કરવતની જેમ નિર્દય રીતે (ઉગ્ર રીતે) [सद्यः भेदम् उत्पाद्य] જીવ-પુદ્ગલનો તત્કાળ ભેદ ઉપજાવીને [न चकास्ति] પ્રકાશિત થતી નથી. ભાવાર્થઃ– ભેદજ્ઞાન થયા પછી, જીવને અને પુદ્ગલને કર્તાકર્મભાવ છે એવી બુદ્ધિ રહેતી નથી; કારણ કે જ્યાં સુધી ભેદજ્ઞાન થતું નથી ત્યાં સુધી અજ્ઞાનથી કર્તાકર્મભાવની બુદ્ધિ થાય છે.

સમયસાર ગાથા ૭૯ઃ મથાળું

હવે પૂછે છે કે જીવના પરિણામને, પોતાના પરિણામને, પોતાના પરિણામના ફળને નહિ જાણતા એવા પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? અહીં જીવના પરિણામ એટલે વીતરાગી નિર્મળ પરિણામ, પોતાના પરિણામ એટલે રાગાદિ પરિણામ અને પોતાના પરિણામનું ફળ એટલે સુખદુઃખના પરિણામ-આ બધાને નહિ જાણતું એવું જે પુદ્ગલદ્રવ્ય તેને જીવ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? જુઓ, જીવને સ્વભાવની દ્રષ્ટિ થતાં જે સ્વભાવનું નિર્મળ પરિણમન થયું તેને પુદ્ગલ જાણતું નથી. તેમ પુદ્ગલપરિણામ જે રાગાદિ ભાવ તેને પુદ્ગલ જાણતું નથી. તેમ