૧૯૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
થઈ જાય છે તે અજ્ઞાન છે. અજ્ઞાની આ બાહ્ય ચીજોની ચમક દેખીને તેની અધિકતામાં રાજી થઈ જાય છે પણ એ તો હાડકાંના ફોસ્ફરસની ચમક છે. અંદર ત્રણલોકનો નાથ ચૈતન્યસ્વરૂપ ભગવાન છે તે ચમત્કારિક વસ્તુ છે. અહા! આવો શુદ્ધ ચિદાનંદસ્વરૂપ ભગવાન જ્ઞાયક નવા કર્મબંધનમાં નિમિત્ત થાય એવો એનો સ્વભાવ નથી. જો સ્વભાવથી આત્મા નિમિત્ત થાય તો આત્મ વિકારસ્વરૂપ જ થઈ જાય. કમૃબંધનનું ઉપાદાન તો કર્મ જડ છે અને એમાં અજ્ઞાનીનો અજ્ઞાનભાવ નિમિત્ત છે, પણ આત્મદ્રવ્ય નિમિત્ત નથી.
જુઓ! આ તો ભગવાનની (કહેલી) ધર્મકથા ચાલે છે. એમાં લક્ષ બીજે જાય તો વાણીનો અનાદર થઈ જાય. એકભગવતારી ઈન્દ્રો જેને સાંભળવા આવે છે એવી ભગવાનની આ દિવ્ય વાણી છે. તે કોઈ મહાસૌભાગ્યથી સાંભળવા મળે છે. નિયમસાર ગાથા ૧૦૮માં આવે છે કે -‘ ‘ભગવાન અર્હંતના મુખારવિરંદથી નીકળેલો, (શ્રવણ માટે આવેલ) સકળ જનતાને શ્રવણનું સૌભાગ્ય મળે એવો, સુંદર-આનંદસ્યંદી (સુંદર-આનંદ ઝરતો), અનક્ષરાત્મક જે દિવ્યધ્વનિ, તેના પરિજ્ઞાનમાં કુશળ ચતુર્થજ્ઞાનધર (મનઃપર્યયજ્ઞાનધારી) ગૌતમમહર્ષિ ના મુખકમળથી નીકળેલી જે ચતુર વચનરચના, તેના ગર્ભમાં રહેલા રદ્ધાંતાદિ (સિદ્ધાંતાદિા) સમસ્ત શાસ્ત્રોના અર્થસમૂહના સાસ્સર્વસ્વરૂપ શુદ્ધ-નિશ્ચય-પરમ-આલોચનાના ચાર ભેદો છે.”
ભગવાન મુખમાંથી વાણી નીકળતી નથી. સર્વાંગેથી’ ધ્વનિ ઉઠે છે; પરંતુ લોકોની અપેક્ષાએ ‘મુખારવિંદથી’ એમ કહ્યું છે. સકળ જનતાને શ્રવણનું સૌભાગ્ય મળે એવી આનંદ ઝરતી વાણી ખરે છે. વાણીમાં આનંદસ્વરૂપ આત્માનું નિરૂપણ આવે છે એટલે વાણીને આનંદ દેનારી કહી છે. આ નિમિત્તનું કથન છે. ભગવાનની વાણીમાં વીતરાગતા બતાવી છે. વીતરાગતા કયારે પ્રગટે? સ્વનો આશ્રય કરે ત્યારે, આનંદની જે અનુવદશા પ્રગટે છે એ જિનવાણીનો સાર છે. આ દિવ્ય વાથી સાંભળીને ચાર જ્ઞાનના ધણી ભગવાન ગણધરદેવ સિદ્ધાંતની ગૂંથણી કરે છે. આવી દિવ્યધ્વનિ જેના કાને પડે એનું પણ મહા-સૌભાગ્ય છે. એ દિવ્યધ્વનિનો સાર આ પાંચ પરમાગમો અહીં ઉપર-નીચે કોતરાઈ ગયાં છે. વહા, દિવ્યધ્વનિ વાહ!!
પ્રશ્નઃ– આ કાળમાં આપે પણ આ સરસ કામ કર્યું છે! ઉત્તરઃ– કોણ કરે? છયે દ્રવ્યોમાં, પર્યાયની ઉત્પત્તિનો કાળ હોય, તે તે પર્યાય પ્રગટ થાય છે. તે પર્યાયની જન્મક્ષણ છે. પ્રવચનસાર ગાથા ૧૦૨માંઆવ્યું છે કે -દ્રવ્યની જે પર્યાયની ઉત્પત્તિનો કાળ હોય તે પર્યાય સ્વકાળે પોતાથી ઉત્પન્ન થાય છે. તેની પર્યાયની ઉત્પત્તિ બીજો કરી દે એમ છે જ નહિ. જન્મક્ષણ એટલે પર્યાયની ઉત્પત્તિનો કાળ હોય ત્યારે તે સ્વતંત્ર ઉત્પન્ન થાય છે. આ પરમાગમ-મંદિરના નિર્માણનો એનો કાળ હતો નથી તેથી તેના કાળે તે થયું છે, બીજાએ કોઈએ કર્યું છે એમ છે જ નહિ. બીજાએ કર્યું એમ કહેવું એ તો તે વખતે નિમિત્ત કોણ હતું એનું જ્ઞાન કરાવે છે.