ज्ञानावरणादिमूलोत्तरकर्मप्रकृतिभेदाः जिनवरवृषभैर्नियत्या स्वभावेन भणिताः, किंतु स्वकीय- शुभाशुभफलं दत्वा गच्छन्ति, न च रागादिपरिणामरहिताः सन्तो बन्धं कुर्वन्ति । तर्हि कथं बन्धं करोति जीवः इति चेत् । तेसु विमूढो रत्तो दुट्ठो वा बन्धमणुभवदि तेषु उदयागतेषु सत्सु कर्मांशेषु मोहरागद्वेषविलक्षणनिजशुद्धात्मतत्त्वभावनारहितः सन् यो विशेषेण मूढो रक्तो दुष्टो वा भवति सः केवलज्ञानाद्यनन्तगुणव्यक्तिलक्षणमोक्षाद्विलक्षणं प्रकृतिस्थित्यनुभागप्रदेशभेदभिन्नं बन्धमनुभवति । ततः स्थितमेतत् ज्ञानं बन्धकारणं न भवति कर्मोदयोऽपि, किंतु रागादयो बन्धकारणमिति ।।४३।। अथ केवलिनां रागाद्यभावाद्धर्मोपदेशादयोऽपि बन्धकारणं न भवन्तीति कथयति ---ठाणणिसेज्जविहारा धम्मुवदेसो य स्थानमूर्ध्वस्थितिर्निषद्या चासनं श्रीविहारो धर्मोपदेशश्च णियदयो एते व्यापारा नियतयः स्वभावा તે સંસારી, તે ઉદયગત કર્માંશોની હયાતીમાં, ચેતતાં -જાણતાં -અનુભવતાં, મોહ -રાગ -દ્વેષમાં પરિણત થવાથી જ્ઞેય પદાર્થોમાં પરિણમન જેનું લક્ષણ છે એવી (જ્ઞેયાર્થપરિણમનસ્વરૂપ) ક્રિયા સાથે જોડાય છે; અને તેથી જ ક્રિયાફળભૂત બંધને અનુભવે છે. આથી (એમ કહ્યું કે) મોહના ઉદયથી (અર્થાત્ મોહના ઉદયમાં જોડાવાના કારણે) ક્રિયા ને ક્રિયાફળ થાય છે, જ્ઞાનથી નહિ.
ભાવાર્થઃ — સંસારી સર્વ જીવોને કર્મનો ઉદય છે, પરંતુ તે ઉદય બંધનું કારણ નથી. જો કર્મનિમિત્તક ઇષ્ટ -અનિષ્ટ ભાવોમાં જીવ રાગી -દ્વેષી -મોહી થઈ પરિણમે તો બંધ થાય છે. આથી એ વાત સિદ્ધ થઈ કે જ્ઞાન, ઉદયપ્રાપ્ત પૌદ્ગલિક કર્મો કે કર્મના ઉદયથી ઉત્પન્ન દેહાદિની ક્રિયાઓ બંધનું કારણ નથી, બંધનાં કારણ કેવળ રાગ -દ્વેષ -મોહભાવો છે. માટે તે ભાવો સર્વ પ્રકારે ત્યાગવાયોગ્ય છે. ૪૩.
હવે કેવળીભગવંતોને ક્રિયા પણ ક્રિયાફળ ( – બંધ) ઉત્પન્ન કરતી નથી એમ ઉપદેશે છેઃ —