Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 74 of 513
PDF/HTML Page 105 of 544

 

background image
स्थाननिषद्याविहारा धर्मोपदेशश्च नियतयस्तेषाम्
अर्हतां काले मायाचार इव स्त्रीणाम् ।।४४।।
यथा हि महिलानां प्रयत्नमन्तरेणापि तथाविधयोग्यतासद्भावात् स्वभावभूत एव
मायोपगुण्ठनागुण्ठितो व्यवहारः प्रवर्तते, तथा हि केवलिनां प्रयत्नमन्तरेणापि तथाविध-
योग्यतासद्भावात्
स्थानमासनं विहरणं धर्मदेशना च स्वभावभूता एव प्रवर्तन्ते अपि
चाविरुद्धमेतदम्भोधरदृष्टान्तात् यथा खल्वम्भोधराकारपरिणतानां पुद्गलानां गमनमवस्थानं
गर्जनमम्बुवर्षं च पुरुषप्रयत्नमन्तरेणापि दृश्यन्ते, तथा केवलिनां स्थानादयोऽबुद्धिपूर्वका एव
दृश्यन्ते
अतोऽमी स्थानादयो मोहोदयपूर्वकत्वाभावात् क्रियाविशेषा अपि केवलिनां
क्रियाफलभूतबन्धसाधनानि न भवन्ति ।।४४।।
अनीहिताः केषाम् तेसिं अरहंताणं तेषामर्हतां निर्दोषिपरमात्मनाम् क्व काले अर्हदवस्थायाम्
इव मायाचारो व्व इत्थीणं मायाचार इव स्त्रीणामिति तथा हियथा स्त्रीणां स्त्रीवेदोदय-
सद्भावात्प्रयत्नाभावेऽपि मायाचारः प्रवर्तते, तथा भगवतां शुद्धात्मतत्त्वप्रतिपक्षभूतमोहोदयकार्येहापूर्व-
અન્વયાર્થઃ[ तेषाम् अर्हतां ] તે અર્હંતભગવંતોને [काले] તે કાળે [स्थान-
निषद्याविहाराः] ઊભા રહેવું, બેસવું, વિહાર [धर्मोपदेशः च] અને ધર્મોપદેશ, [स्त्रीणां मायाचारः
इव] સ્ત્રીઓને માયાચારની માફક, [नियतयः] સ્વાભાવિક જપ્રયત્ન વિના જહોય છે.
ટીકાઃજેમ સ્ત્રીઓને, પ્રયત્ન વિના પણ, તેવા પ્રકારની યોગ્યતાના સદ્ભાવથી
સ્વભાવભૂત જ માયાના ઢાંકણથી ઢંકાયેલો વ્યવહાર પ્રવર્તે છે, તેમ કેવળીભગવંતોને, પ્રયત્ન
વિના પણ (
પ્રયત્ન ન હોવા છતાં પણ), તેવા પ્રકારની યોગ્યતાના સદ્ભાવથી સ્થાન
(-ઊભા રહેવું), આસન (-બેસવું), વિહાર અને ધર્મદેશના સ્વભાવભૂત જ પ્રવર્તે છે. વળી
આ (પ્રયત્ન વિના વિહાર થવો વગેરે), વાદળાના દ્રષ્ટાંતથી અવિરુદ્ધ છે. જેમ વાદળા -આકારે
પરિણમેલાં પુદ્ગલોનું ગમન, અવસ્થાન (-સ્થિર રહેવું), ગર્જન અને જળ -વર્ષણ પુરુષ -પ્રયત્ન
વિના પણ જોવામાં આવે છે, તેમ કેવળીભગવંતોને સ્થાનાદિક (
ઊભા રહેવું, બેસવું વગેરે
વ્યાપારો) અબુદ્ધિપૂર્વક જ (અર્થાત્ ઇચ્છા વિના જ) જોવામાં આવે છે. આથી આ સ્થાનાદિક
(ઊભા રહેવું વગેરે વ્યાપારો), મોહોદયપૂર્વક નહિ હોવાને લીધે, ક્રિયાવિશેષો (ક્રિયાના
પ્રકારો) હોવા છતાં કેવળીભગવંતોને ક્રિયાફળભૂત બંધનાં સાધન થતાં નથી.
ભાવાર્થઃકેવળીભગવંતોને સ્થાન, આસન અને વિહાર એ કાયયોગસંબંધી
ક્રિયાઓ તથા દિવ્ય ધ્વનિથી નિશ્ચયવ્યવહારસ્વરૂપ ધર્મનો ઉપદેશ એ વચનયોગસંબંધી
ક્રિયા અઘાતી કર્મના નિમિત્તે સહજ જ થાય છે. તેમાં કેવળીભગવંતની ઇચ્છા લેશમાત્ર
૭૪પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-