विशेषनिबन्धनभूतसर्वद्रव्यपर्यायान् प्रत्यक्षीकुर्यात् । एवमेतदायाति य आत्मानं न जानाति स
मानयोः स्वस्यामवस्थायामन्योन्यसंवलनेनात्यन्तमशक्यविवेचनत्वात्सर्वमात्मनि निखातमिव
प्रतिभाति । यद्येवं न स्यात् तदा ज्ञानस्य परिपूर्णात्मसंचेतनाभावात् परिपूर्णस्यैकस्यात्मनोऽपि
કરતો નથી, તે (પુરુષ) પ્રતિભાસમય મહાસામાન્યવડે ૧વ્યાપ્ય ( – વ્યપાવાયોગ્ય) જે
( – જાણી) શકે? (ન જ કરી શકે.) આ રીતે એમ ફલિત થાય છે કે જે આત્માને જાણતો
હવે ત્યારે એમ નક્કી થાય છે કે સર્વના જ્ઞાનથી આત્માનું જ્ઞાન અને આત્માના જ્ઞાનથી સર્વનું જ્ઞાન; અને આમ હોતાં, આત્મા જ્ઞાનમયપણાને લીધે સ્વસંચેતક હોવાથી, જ્ઞાતા અને જ્ઞેયનું વસ્તુપણે અન્યત્વ હોવા છતાં પ્રતિભાસ અને પ્રતિભાસ્યમાનનું પોતાની અવસ્થામાં અન્યોન્ય મિલન હોવાને લીધે (અર્થાત્ જ્ઞાન અને જ્ઞેય, આત્માની – જ્ઞાનની અવસ્થામાં પરસ્પર મિશ્રિત – એકમેકરૂપ હોવાને લીધે) તેમને ભિન્ન કરવા અત્યંત અશક્ય હોવાથી, બધુંય જાણે કે આત્મામાં ૨નિખાત (પેસી ગયું) હોય એ રીતે પ્રતિભાસે છે — જણાય છે. (આત્મા જ્ઞાનમય હોવાથી પોતાને સંચેતે છે — અનુભવે છે — જાણે છે; અને પોતાને જાણતાં સર્વ જ્ઞેયો — જાણે કે તેઓ જ્ઞાનમાં સ્થિત હોય એ રીતે — જણાય છે, કારણ કે જ્ઞાનની અવસ્થામાંથી જ્ઞેયાકારોને ભિન્ન કરવા અશક્ય છે.) જો આમ ન હોય તો (અર્થાત્ જો આત્મા સર્વને ન જાણે તો) જ્ઞાનને પરિપૂર્ણ આત્મસંચેતનનો અભાવ થવાથી પરિપૂર્ણ એક આત્માનું પણ જ્ઞાન સિદ્ધ ન થાય. ૧.જ્ઞાનસામાન્ય વ્યાપક છે અને જ્ઞાનના વિશેષો – ભેદો વ્યાપ્ય છે. તે જ્ઞાનવિશેષોનાં નિમિત્ત જ્ઞેયભૂત
સર્વ દ્રવ્યો અને પર્યાયો છે. ૨.નિખાત = ખોદીને અંદર ઊંડું ઊતરી ગયેલું; અંદર પેસી ગયેલું.