Pravachansar (Gujarati). Gatha: 65.

< Previous Page   Next Page >


Page 113 of 513
PDF/HTML Page 144 of 544

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૧૩
अथ मुक्तात्मसुखप्रसिद्धये शरीरस्य सुखसाधनतां प्रतिहन्ति
पप्पा इट्ठे विसए फासेहिं समस्सिदे सहावेण
परिणममाणो अप्पा सयमेव सुहं ण हवदि देहो ।।६५।।
प्राप्येष्टान् विषयान् स्पर्शैः समाश्रितान् स्वभावेन
परिणममान आत्मा स्वयमेव सुखं न भवति देहः ।।६५।।

अस्य खल्वात्मनः सशरीरावस्थायामपि न शरीरं सुखसाधनतामापद्यमानं पश्यामः, यतस्तदापि पीतोन्मत्तकरसैरिव प्रकृष्टमोहवशवर्तिभिरिन्द्रियैरिमेऽस्माकमिष्टा इति क्रमेण विषयार्थं व्यापारो दृश्यते चेत्तत एव ज्ञायते दुःखमस्तीत्यभिप्रायः ।।६४।। एवं परमार्थेनेन्द्रियसुखस्य दुःखस्थापनार्थं गाथाद्वयं गतम् अथ मुक्तात्मनां शरीराभावेऽपि सुखमस्तीति ज्ञापनार्थं शरीरं सुख- कारणं न स्यादिति व्यक्तीकरोतिपप्पा प्राप्य कान् इट्ठे विसए इष्टपञ्चेन्द्रियविषयान् कथंभूतान् ઇચ્છારૂપી દુઃખને લીધે), મરણ સુધીનું જોખમ વહોરીને પણ ક્ષણિક ઇન્દ્રિયવિષયોમાં ઝંપલાવે છે. જો તેમને સ્વભાવથી જ દુઃખ ન હોય તો વિષયોમાં રતિ જ ન હોવી જોઈએ. જેને શરીરમાં ગરમીની બળતરાનું દુઃખ નષ્ટ થયું હોય તેને ઠંડકના બાહ્ય ઉપચારમાં રતિ કેમ હોય? માટે પરોક્ષજ્ઞાનવાળા જીવોને દુઃખ સ્વાભાવિક જ છે એમ નક્કી થાય છે. ૬૪.

હવે, મુક્ત આત્માના સુખની પ્રસિદ્ધિ માટે, શરીર સુખનું સાધન હોવાની વાતનું ખંડન કરે છે (અર્થાત્ સિદ્ધભગવાનને શરીર વિના પણ સુખ હોય છે એ વાત સ્પષ્ટ સમજાવવા માટે, સંસારાવસ્થામાં પણ શરીર સુખનુંઇન્દ્રિયસુખનુંસાધન નથી એમ નક્કી કરે છે)ઃ

ઇન્દ્રિયસમાશ્રિત ઇષ્ટ વિષયો પામીને, નિજ ભાવથી
જીવ પ્રણમતો સ્વયમેવ સુખરૂપ થાય, દેહ થતો નથી. ૬૫.

અન્વયાર્થઃ[स्पर्शैः समाश्रितान्] સ્પર્શનાદિક ઇન્દ્રિયો જેમનો આશ્રય કરે છે એવા [इष्टान् विषयान्] ઇષ્ટ વિષયોને [प्राप्य] પામીને [स्वभावेन] (પોતાના અશુદ્ધ) સ્વભાવે [परिणममानः] પરિણમતો થકો [आत्मा] આત્મા [स्वयमेव] સ્વયમેવ [सुखं] સુખરૂપ (ઇન્દ્રિયસુખરૂપ) થાય છે, [देहः न भवति] દેહ સુખરૂપ થતો નથી.

ટીકાઃખરેખર આ આત્માને સશરીર અવસ્થામાં પણ શરીર સુખનું સાધન થતું અમે દેખતાઅનુભવતા નથી; કારણ કે ત્યારે પણ, જાણે કે ઉન્માદજનક મદિરા પીધેલ હોય એવી, પ્રકૃષ્ટ મોહને વશ વર્તનારી, ‘આ (વિષયો) અમને ઇષ્ટ છે’ એમ કરીને ૧. પ્રકૃષ્ટ = પ્રબળ; અતિશય. પ્ર. ૧૫