अयमत्र सिद्धान्तो यद्दिव्यवैक्रियिकत्वेऽपि शरीरं न खलु सुखाय कल्प्येतेतीष्टानाम- निष्टानां वा विषयाणां वशेन सुखं वा दुःखं वा स्वयमेवात्मा स्यात् ।।६६।।
पुनरचेतनत्वात्सुखं न भवतीति । अयमत्रार्थः – कर्मावृतसंसारिजीवानां यदिन्द्रियसुखं तत्रापि जीव उपादानकारणं, न च देहः । देहकर्मरहितमुक्तात्मनां पुनर्यदनन्तातीन्द्रियसुखं तत्र विशेषेणात्मैव कारणमिति ।।६५।। अथ मनुष्यशरीरं मा भवतु, देवशरीरं दिव्यं तत्किल सुखकारणं भविष्यतीत्याशङ्कां निराकरोति — एगंतेण हि देहो सुहं ण देहिस्स कुणदि एकान्तेन हि स्फु टं देहः कर्ता सुखं न करोति । कस्य । देहिनः संसारिजीवस्य । क्व । सग्गे वा आस्तां तावन्मनुष्याणां मनुष्यदेहः सुखं न करोति, स्वर्गे
અન્વયાર્થઃ — [एकान्तेन हि] એકાંતે અર્થાત્ નિયમથી [स्वर्गे वा] સ્વર્ગમાં પણ [देहः] દેહ [देहिनः] દેહીને ( – આત્માને) [सुखं न करोति] સુખ કરતો નથી; [विषयवशेन तु] પરંતુ વિષયોના વશે [सौख्यं दुःखं वा] સુખ અથવા દુઃખરૂપ [स्वयं आत्मा भवति] સ્વયં આત્મા થાય છે.
ટીકાઃ — આ અહીં સિદ્ધાંત છે કે — ‘શરીર, ભલે તેને દિવ્ય વૈક્રિયિકપણું હોય તોપણ, સુખ કરી શક્તું નથી;’ માટે, ઇષ્ટ અથવા અનિષ્ટ વિષયોના વશે સુખ અથવા દુઃખરૂપ સ્વયમેવ આત્મા થાય છે.
ભાવાર્થઃ — શરીર સુખદુઃખ કરતું નથી. દેવનું ઉત્તમ વૈક્રિયિક શરીર સુખનું કારણ નથી કે નારકનું શરીર દુઃખનું કારણ નથી. આત્મા પોતે જ ઇષ્ટ -અનિષ્ટ વિષયોને વશ થઈ સુખ -દુઃખની કલ્પનારૂપે પરિણમે છે. ૬૬.
હવે, આત્મા સ્વયમેવ સુખપરિણામની શક્તિવાળો હોવાથી વિષયોનું અકિંચિત્કરપણું પ્રકાશે છેઃ —