यतो हि शक्राश्चक्रिणश्च स्वेच्छोपगतैर्भोगैः शरीरादीन् पुष्णन्तस्तेषु दुष्टशोणित इव जलौकसोऽत्यन्तमासक्ताः सुखिता इव प्रतिभासन्ते, ततः शुभोपयोगजन्यानि फलवन्ति पुण्यान्यवलोक्यन्ते ।।७३।। जीवाणं व्यवहारेण विशेषेऽपि निश्चयेन सः प्रसिद्धः शुद्धोपयोगाद्विलक्षणः शुभाशुभोपयोगः कथं भिन्नत्वं लभते, न कथमपीति भावः ।।७२।। एवं स्वतन्त्रगाथाचतुष्टयेन प्रथमस्थलं गतम् । अथ पुण्यानि देवेन्द्रचक्रवर्त्यादिपदं प्रयच्छन्ति इति पूर्वं प्रशंसां करोति । किमर्थम् । तत्फलाधारेणाग्रे तृष्णोत्पत्तिरूपदुःखदर्शनार्थं । कुलिसाउहचक्कधरा देवेन्द्राश्चक्रवर्तिनश्च कर्तारः । सुहोवओगप्पगेहिं भोगेहिं शुभोपयोगजन्यभोगैः कृत्वा देहादीणं विद्धिं करेंति विकुर्वणारूपेण देहपरिवारादीनां वृद्धिं कुर्वन्ति । कथंभूताः सन्तः । सुहिदा इवाभिरदा सुखिता इवाभिरता आसक्ता इति । अयमत्रार्थः — यत्परमातिशय- तृप्तिसमुत्पादकं विषयतृष्णाविच्छित्तिकारकं च स्वाभाविकसुखं तदलभमाना दुष्टशोणिते जलयूका इवासक्ताः सुखाभासेन देहादीनां वृद्धिं कुर्वन्ति । ततो ज्ञायते तेषां स्वाभाविकं सुखं नास्तीति ।।७३।। अथ पुण्यानि जीवस्य विषयतृष्णामुत्पादयन्तीति प्रतिपादयति — जदि संति हि पुण्णाणि य यदि
અન્વયાર્થઃ — [कुलिशायुधचक्रधराः] વજ્રધરો અને ચક્રધરો ( – ઇન્દ્રો અને ચક્રવર્તીઓ) [शुभोपयोगात्मकैः भोगैः] શુભોપયોગમૂલક (પુણ્યોના ફળરૂપ) ભોગો વડે [देहादीनां] દેહાદિની [वृद्धिं कुर्वन्ति] પુષ્ટિ કરે છે અને [अभिरताः] (એ રીતે) ભોગોમાં રત વર્તતા થકા [सुखिताः इव] સુખી જેવા ભાસે છે (માટે પુણ્યો વિદ્યમાન છે ખરાં).
ટીકાઃ — શક્રેંદ્રો અને ચક્રવર્તીઓ પોતાની ઇચ્છા પ્રમાણે મળેલા ભોગો વડે શરીરાદિને પોષતા થકા — જેમ જળો દૂષિત લોહીમાં અત્યંત આસક્ત વર્તતી થકી સુખી જેવી ભાસે છે તેમ — તે ભોગોમાં અત્યંત આસક્ત વર્તતા થકા સુખી જેવા ભાસે છે; માટે શુભોપયોગજન્ય ફળવાળાં પુણ્યો જોવામાં આવે છે (અર્થાત્ શુભોપયોગજન્ય એવાં જે ફળવાળાં પુણ્યો તેમની હયાતી જોવામાં આવે છે).
ભાવાર્થઃ — જે ભોગોમાં આસક્ત વર્તતા થકા ઇન્દ્રો વગેરે જળોની માફક સુખી જેવા ભાસે છે, તે ભોગો પુણ્યનાં ફળ છે; માટે પુણ્યની હયાતી છે ખરી. (આ પ્રમાણે આ ગાથામાં પુણ્યનું વિદ્યમાનપણું સ્વીકારીને હવેની ગાથાઓમાં પુણ્યને દુઃખના કારણરૂપ દર્શાવશે.) ૭૩.