Pravachansar (Gujarati). Gatha: 79.

< Previous Page   Next Page >


Page 134 of 513
PDF/HTML Page 165 of 544

 

૧૩પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-

अथ यदि सर्वसावद्ययोगमतीत्य चरित्रमुपस्थितोऽपि शुभोपयोगानुवृत्तिवशतया मोहादीन्नोन्मूलयामि, ततः कुतो मे शुद्धात्मलाभ इति सर्वारम्भेणोत्तिष्ठते

चत्ता पावारंभं समुट्ठिदो वा सुहम्मि चरियम्हि
ण जहदि जदि मोहादी ण लहदि सो अप्पगं सुद्धं ।।७९।।
त्यक्त्वा पापारम्भं समुत्थितो वा शुभे चरित्रे
न जहाति यदि मोहादीन्न लभते स आत्मकं शुद्धम् ।।७९।।

यः खलु समस्तसावद्ययोगप्रत्याख्यानलक्षणं परमसामायिकं नाम चारित्रं प्रतिज्ञायापि शुभोपयोगवृत्त्या बकाभिसारिक येवाभिसार्यमाणो न मोहवाहिनीविधेयतामवकिरति स किल प्रथमज्ञानकण्डिका समाप्ता अथ शुभाशुभोपयोगनिवृत्तिलक्षणशुद्धोपयोगेन मोक्षो भवतीति पूर्वसूत्रे भणितम् अत्र तु द्वितीयज्ञानकण्डिकाप्रारम्भे शुद्धोपयोगाभावे शुद्धात्मानं न लभते इति तमेवार्थं

હવે, સર્વ સાવદ્યયોગને છોડીને ચારિત્ર અંગીકાર કર્યું હોવા છતાં જો હું શુભોપયોગપરિણતિને વશપણે મોહાદિકનું ઉન્મૂલન ન કરું, તો મને શુદ્ધ આત્માની પ્રાપ્તિ ક્યાંથી થાયએમ વિચારી મોહાદિકના ઉન્મૂલન પ્રત્યે સર્વ આરંભથી (ઉદ્યમથી) કટિબદ્ધ થાય છેઃ

જીવ છોડી પાપારંભને શુભ ચરિતમાં ઉદ્યત ભલે,
જો નવ તજે મોહાદિને તો નવ લહે શુદ્ધાત્મને. ૭૯.

અન્વયાર્થઃ[पापारम्भं] પાપારંભ [त्यक्त्वा] છોડીને [शुभे चरित्रे] શુભ ચારિત્રમાં [समुत्थितः वा] ઉદ્યત હોવા છતાં [यदि] જો જીવ [मोहादीन्] મોહાદિકને [न जहाति] છોડતો નથી, તો [सः] તે [शुद्धं आत्मकं] શુદ્ધ આત્માને [न लभते] પામતો નથી.

ટીકાઃજે (જીવ) સમસ્ત સાવદ્યયોગના પ્રત્યાખ્યાનસ્વરૂપ પરમસામાયિક નામના ચારિત્રની પ્રતિજ્ઞા કરીને પણ ધૂર્ત અભિસારિકા સમાન શુભોપયોગપરિણતિથી અભિસાર (મિલન) પામતો થકો (અર્થાત્ શુભોપયોગપરિણતિના પ્રેમમાં ફસાતો થકો) મોહની સેનાને વશ વર્તવાપણું ખંખેરી નાખતો નથી, તે (જીવ), જેને મહા દુઃખસંકટ ૧.ઉન્મૂલન = જડમૂળથી કાઢી નાખવું તે; નિકંદન. ૨.અભિસારિકા = સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જનારી સ્ત્રી. ૩.અભિસાર = પ્રેમીને મળવા જવું તે.