Pravachansar (Gujarati). Gatha: 95.

< Previous Page   Next Page >


Page 170 of 513
PDF/HTML Page 201 of 544

 

૧૭૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
अथ द्रव्यलक्षणमुपलक्षयति
अपरिच्चत्तसहावेणुप्पादव्वयधुवत्तसंबद्धं
गुणवं च सपज्जायं जं तं दव्वं ति वुच्चंति ।।९५।।
अपरित्यक्तस्वभावेनोत्पादव्ययध्रुवत्वसंबद्धम्
गुणवच्च सपर्यायं यत्तद्द्रव्यमिति ब्रुवन्ति ।।९५।।
अपरिच्चत्तसहावेण अपरित्यक्त स्वभावमस्तित्वेन सहाभिन्नं उप्पादव्वयधुवत्तसंजुत्तं उत्पादव्ययध्रौव्यैः सह
संयुक्तं गुणवं च सपज्जायं गुणवत्पर्यायसहितं च जं यदित्थंभूतं सत्तादिलक्षणत्रयसंयुक्तं तं दव्वं ति वुच्चंति
तद्द्रव्यमिति ब्रुवन्ति सर्वज्ञाः इदं द्रव्यमुत्पादव्ययध्रौव्यैर्गुणपर्यायैश्च सह लक्ष्यलक्षणभेदे अपि सति
सत्ताभेदं न गच्छति तर्हि किं करोति स्वरूपतयैव तथाविधत्वमवलम्बते तथाविधत्वमवलम्बते
कोऽर्थः उत्पादव्ययध्रौव्यस्वरूपं गुणपर्यायस्वरूपं च परिणमति शुद्धात्मवदेव तथाहि

ભાવાર્થઃ‘હું મનુષ્ય છું, શરીરાદિની સમસ્ત ક્રિયાઓ હું કરું છું, સ્ત્રી -પુત્ર- ધનાદિકના ગ્રહણત્યાગનો હું સ્વામી છું’ વગેરે માનવું તે મનુષ્યવ્યવહાર (મનુષ્યરૂપ વર્તન) છે; ‘માત્ર અચલિત ચેતના તે જ હું છું’ એમ માનવુંપરિણમવું તે આત્મવ્યવહાર (આત્મારૂપ વર્તન) છે.

જેઓ મનુષ્યાદિપર્યાયમાં લીન છે, તે એકાંતદ્રષ્ટિવાળા લોકો મનુષ્યવ્યવહારનો આશ્રય કરતા હોવાથી રાગીદ્વેષી થાય છે અને એ રીતે પરદ્રવ્યરૂપ કર્મ સાથે સંબંધ કરતા હોવાથી તેઓ પરસમય છે; અને જેઓ ભગવાન આત્મસ્વભાવમાં જ સ્થિત છે, તે અનેકાંતદ્રષ્ટિવાળા લોકો મનુષ્યવ્યવહારનો આશ્રય નહિ કરતાં આત્મવ્યવહારનો આશ્રય કરતા હોવાથી રાગીદ્વેષી થતા નથી અર્થાત્ પરમ ઉદાસીન રહે છે અને એ રીતે પરદ્રવ્યરૂપ કર્મ સાથે સંબંધ નહિ કરતાં કેવળ સ્વદ્રવ્ય સાથે જ સંબંધ કરતા હોવાથી તેઓ સ્વસમય છે. ૯૪.

હવે દ્રવ્યનું લક્ષણ દર્શાવે છેઃ
છોડ્યા વિના જ સ્વભાવને ઉત્પાદ -વ્યય -ધ્રુવયુક્ત છે,
વળી ગુણ ને પર્યય સહિત જે, ‘દ્રવ્ય’ ભાખ્યું તેહને. ૯૫.

અન્વયાર્થઃ[ अपरित्यक्तस्वभावेन ] સ્વભાવને છોડ્યા વિના [यत्] જે [उत्पाद- व्ययध्रुवत्वसंबद्धम् ] ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યસંયુક્ત છે [च] તથા [ गुणवत् सपर्यायं ] ગુણવાળું ને પર્યાયસહિત છે, [ तत्] તેને [ द्रव्यम् इति ] ‘દ્રવ્ય’ [ ब्रुवन्ति ] કહે છે.