Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 180 of 513
PDF/HTML Page 211 of 544

 

૧૮૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
इह विविधलक्षणानां लक्षणमेकं सदिति सर्वगतम्
उपदिशता खलु धर्मं जिनवरवृषभेण प्रज्ञप्तम् ।।९७।।

इह किल प्रपञ्चितवैचित्र्येण द्रव्यान्तरेभ्यो व्यावृत्य वृत्तेन प्रतिद्रव्यं सीमानमासूत्रयता विशेषलक्षणभूतेन च स्वरूपास्तित्वेन लक्ष्यमाणानामपि सर्वद्रव्याणामस्तमितवैचित्र्यप्रपञ्चं प्रवृत्य वृत्तं प्रतिद्रव्यमासूत्रितं सीमानं भिन्दत्सदिति सर्वगतं सामान्यलक्षणभूतं सादृश्यास्तित्वमेकं खल्ववबोधव्यम् एवं सदित्यभिधानं सदिति परिच्छेदनं च सर्वार्थपरामर्शि स्यात् यदि पुनरिदमेवं न स्यात्तदा किंचित्सदिति किंचिदसदिति किंचित्सच्चासच्चेति किंचिदवाच्यमिति च स्यात् तत्तु विप्रतिषिद्धमेव प्रसाध्यं चैतदनोकहवत् यथा हि बहूनां बहुविधानामनो- समस्तशेषद्रव्याणामपि व्यवस्थापनीयमित्यर्थः ।।९६।। अथ सादृश्यास्तित्वशब्दाभिधेयां महासत्तां प्रज्ञापयतिइह विविहलक्खणाणं इह लोके प्रत्येकसत्ताभिधानेन स्वरूपास्तित्वेन विविधलक्षणानां भिन्नलक्षणानां चेतनाचेतनमूर्तामूर्तपदार्थानां लक्खणमेगं तु एकमखण्डलक्षणं भवति किं कर्तृ सदित्ति सर्वं सदिति महासत्तारूपम् किंविशिष्टम् सव्वगयं संकरव्यतिकरपरिहाररूपस्वजात्यविरोधेन

અન્વયાર્થઃ[धर्मं] ધર્મને [खलु] ખરેખર [उपदिशता] ઉપદેશતા [जिनवरवृषभेण] જિનવરવૃષભે [इह] આ વિશ્વમાં [विविधलक्षणानां] વિવિધ લક્ષણવાળાં (ભિન્ન ભિન્ન સ્વરૂપ -અસ્તિત્વવાળાં સર્વ) દ્રવ્યોનું, [सत् इति] ‘સત્’ એવું [सर्वगतं] સર્વગત [लक्षणं] લક્ષણ (સાદ્રશ્ય -અસ્તિત્વ) [एकं] એક [प्रज्ञप्तम्] કહ્યું છે.

ટીકાઃઆ વિશ્વમાં, વિચિત્રતાને વિસ્તારતા (વિવિધપણુંઅનેકપણું દર્શાવતા), અન્ય દ્રવ્યોથી વ્યાવૃત્ત રહીને વર્તતા અને પ્રત્યેક દ્રવ્યની સીમા બાંધતા એવા વિશેષલક્ષણભૂત સ્વરૂપ -અસ્તિત્વ વડે (સર્વ દ્રવ્યો) લક્ષિત થતાં હોવા છતાં, સર્વ દ્રવ્યોનું, વિચિત્રતાના વિસ્તારને અસ્ત કરતું, સર્વ દ્રવ્યોમાં પ્રવર્તીને વર્તતું અને પ્રત્યેક દ્રવ્યની બંધાયેલી સીમાને અવગણતું, ‘સત્’ એવું જે સર્વગત સામાન્યલક્ષણભૂત સાદ્રશ્ય -અસ્તિત્વ તે ખરેખર એક જ જાણવું. એ રીતે ‘સત્’ એવું કથન અને ‘સત્’ એવું જ્ઞાન સર્વ પદાર્થોનો પરામર્શ કરનારું છે. જો તે એમ ન હોય (અર્થાત્ જો તે સર્વપદાર્થપરામર્શી ન હોય) તો કોઈક પદાર્થ સત્ (હયાતીવાળો) હોવો જોઈએ, કોઈક અસત્ (હયાતી વિનાનો) હોવો જોઈએ, કોઈક સત્ તથા અસત્ હોવો જોઈએ, અને કોઈક અવાચ્ય હોવો જોઈએ; પરંતુ તે તો વિરુદ્ધ જ છે. અને આ (‘સત્’ એવું કથન અને જ્ઞાન સર્વપદાર્થપરામર્શી હોવાની વાત) તો સિદ્ધ થઈ શકે છે, વૃક્ષની જેમ. ૧. જિનવરવૃષભ = જિનવરોમાં શ્રેષ્ઠ; તીર્થંકર. ૨.સર્વગત = સર્વમાં વ્યાપનારું ૩. વ્યાવૃત્ત = જુદું; છૂટું; ભિન્ન. ૪. પરામર્શ = સ્પર્શ; ખ્યાલ; વિચાર; લક્ષ; સ્મરણ.