Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 248 of 513
PDF/HTML Page 279 of 544

 

૨૪પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
पुनरन्यः तथाहियदा नामानादिप्रसिद्धपौद्गलिककर्मबन्धनोपाधिसंनिधिप्रधावितोपराग-
रञ्जितात्मवृत्तिर्जपापुष्पसंनिधिप्रधावितोपरागरञ्जितात्मवृत्तिः स्फ टिकमणिरिव परारोपित-
विकारोऽहमासं संसारी, तदापि न नाम मम कोऽप्यासीत्
तदाप्यहमेक एवोपरक्तचित्स्वभावेन
स्वतन्त्रः कर्तासम् अहमेक एवोपरक्तचित्स्वभावेन साधकतमः करणमासम् अहमेक
एवोपरक्तचित्परिणमनस्वभावेनात्मना प्राप्यः कर्मासम् अहमेक एव चोपरक्तचित्परिणमन-
स्वभावस्य निष्पाद्यं सौख्यविपर्यस्तलक्षणं दुःखाख्यं कर्मफलमासम् इदानीं पुनरनादि-
रागादिविकल्परहितस्वसंवेदनज्ञानपरिणतिबलेन कम्मं शुद्धबुद्धैकस्वभावेन परमात्मना प्राप्यं
व्याप्यमहमेक एव कर्मकारकमस्मि फलं च शुद्धज्ञानदर्शनस्वभावपरमात्मनः साध्यं निष्पाद्यं निज-
शुद्धात्मरुचिपरिच्छित्तिनिश्चलानुभूतिरूपाभेदरत्नत्रयात्मकपरमसमाधिसमुत्पन्नसुखामृतरसास्वादपरिणति-
रूपमहमेक एव फलं चास्मि
णिच्छिदो एवमुक्तप्रकारेण निश्चितमतिः सन् समणो सुखदुःख-
जीवितमरणशत्रुमित्रादिसमताभावनापरिणतः श्रमणः परममुनिः परिणमदि णेव अण्णं जदि परिणमति

‘‘જ્યારે અનાદિસિદ્ધ પૌદ્ગલિક કર્મના બંધનરૂપ ઉપાધિની નિકટતાથી ઉત્પન્ન થયેલા ઉપરાગ વડે જેની સ્વપરિણતિ રંજિત હતી એવો હુંજાસુદપુષ્પની નિકટતાથી ઉત્પન્ન થયેલા ઉપરાગ (-લાલાશ) વડે જેની સ્વપરિણતિ રંજિત (-રંગાયેલી) હોય એવા સ્ફટિકમણિની માફકપર વડે આરોપાયેલા વિકારવાળો હોવાથી, સંસારી હતો, ત્યારે પણ (અજ્ઞાનદશામાં પણ) ખરેખર મારું કોઈ પણ (સંબંધી) નહોતું. ત્યારે પણ હું એકલો જ કર્તા હતો, કારણ કે હું એકલો જ ઉપરક્ત ચૈતન્યરૂપ સ્વભાવ વડે સ્વતંત્ર હતો (અર્થાત્ સ્વાધીનપણે કરતો હતો); હું એકલો જ કરણ હતો, કારણ કે હું એકલો જ ઉપરક્ત ચૈતન્યરૂપ સ્વભાવ વડે સાધકતમ (ઉત્કૃષ્ટ સાધન) હતો; હું એકલો જ કર્મ હતો, કારણ કે હું એકલો જ ઉપરક્ત ચૈતન્યરૂપે પરિણમવાના સ્વભાવને લીધે આત્માથી પ્રાપ્ય (પ્રાપ્ત થવા યોગ્ય) હતો; અને હું એકલો જ સુખથી વિપરીત લક્ષણવાળું, ‘દુઃખ’ નામનું કર્મફળ હતોકે જે (ફળ) ઉપરક્ત ચૈતન્યરૂપે પરિણમવાના સ્વભાવ વડે નિપજાવવામાં આવતું હતું. ૧. ઉપરાગ = કોઈ પદાર્થમાં, અન્ય ઉપાધિની સમીપતાના નિમિત્તે થતો ઉપાધિને અનુરૂપ વિકારી ભાવ;

ઔપાધિક ભાવ; વિકાર; મલિનતા. ૨. રંજિત = વિકૃત; મલિન. ૩. આરોપાયેલા = (નવા અર્થાત્ ઔપાધિકરૂપે) કરાયેલા. [વિકારો સ્વભાવભૂત નહોતા પણ ઉપાધિના

નિમિત્તે ઔપાધિકરૂપે (નવા) થયેલા હતા.] ૪. કર્તા, કરણ અને કર્મના અર્થો માટે ૧૬મી ગાથાનો ભાવાર્થ જુઓ. ૫. ઉપરક્ત = વિકૃત; મલિન.