विस्फु रितसुविशुद्धसहजात्मवृत्तिः स्फ टिकमणिरिव विश्रान्तपरारोपितविकारोऽहमेकान्तेनास्मि
मुमुक्षुः । इदानीमपि न नाम मम कोऽप्यस्ति । इदानीमप्यहमेक एव सुविशुद्धचित्स्वभावेन
एव च सुविशुद्धचित्परिणमनस्वभावेनात्मना प्राप्यः कर्मास्मि; अहमेक एव च सुविशुद्ध-
चित्परिणमनस्वभावस्य निष्पाद्यमनाकुलत्वलक्षणं सौख्याख्यं कर्मफलमस्मि । एवमस्य
હવે વળી, અનાદિસિદ્ધ પૌદ્ગલિક કર્મના બંધનરૂપ ઉપાધિની નિકટતાના નાશથી જેને સુવિશુદ્ધ સહજ ( – સ્વાભાવિક) સ્વપરિણતિ પ્રગટ થઈ છે એવો હું — જાસુદપુષ્પની નિકટતાના નાશથી જેને સુવિશુદ્ધ સહજ સ્વપરિણતિ પ્રગટ થઈ હોય એવા સ્ફટિકમણિની માફક — પર વડે આરોપાયેલો વિકાર જેને અટકી ગયો છે એવો હોવાથી ૧એકાંતે મુમુક્ષુ છું; હમણાં પણ ( – મુમુક્ષુદશામાં અર્થાત્ જ્ઞાનદશામાં પણ) ખરેખર મારું કોઈ પણ નથી. હમણાં પણ હું એકલો જ કર્તા છું, કારણ કે હું એકલો જ સુવિશુદ્ધ ચૈતન્યરૂપ સ્વભાવ વડે સ્વતંત્ર છું (અર્થાત્ સ્વાધીનપણે કરું છું); હું એકલો જ કરણ છું, કારણ કે હું એકલો જ સુવિશુદ્ધ ચૈતન્યરૂપ સ્વભાવ વડે સાધકતમ છું; હું એકલો જ કર્મ છું, કારણ કે હું એકલો જ સુવિશુદ્ધ ચૈતન્યરૂપે પરિણમવાના સ્વભાવને લીધે આત્માથી પ્રાપ્ય છું; અને હું એકલો જ અનાકુળતાલક્ષણવાળું, ‘સુખ’ નામનું કર્મફળ છું — કે જે (ફળ) ૨સુવિશુદ્ધ ચૈતન્યરૂપે પરિણમવાના સ્વભાવ વડે નિપજાવવામાં આવે છે.’’
— આ રીતે બંધમાર્ગમાં તેમ જ મોક્ષમાર્ગમાં આત્મા એકલો જ છે એમ ૩ભાવનાર આ પુરુષ પરમાણુની માફક એકત્વભાવનામાં ઉન્મુખ હોવાથી (અર્થાત્ એકત્વને ભાવવામાં તત્પર – લાગેલો – હોવાથી), તેને પરદ્રવ્યરૂપ પરિણતિ બિલકુલ થતી ૧. એકાંતે મુમુક્ષુ = કેવળ મોક્ષાર્થી; સર્વથા મોક્ષેચ્છુ. ૨. સુવિશુદ્ધચૈતન્યપરિણમનસ્વભાવ આત્માનું કર્મ છે અને તે કર્મ અનાકુળતાસ્વરૂપ સુખને નિપજાવે
છે માટે સુખ તે કર્મફળ છે. સુખ આત્માની જ અવસ્થા હોવાથી આત્મા જ કર્મફળ છે. ૩. ભાવવું = અનુભવવું; સમજવું; ચિંતવવું. [‘કોઈ જીવને — અજ્ઞાનીને કે જ્ઞાનીને — પર સાથે સંબંધ નથી.
(અર્થાત્ પોતાના સુખપર્યાયરૂપ ફળને) ભોગવે છે.’ — આવા એકત્વને સમ્યગ્દ્રષ્ટિ જીવ ભાવે છે –
અનુભવે છે – સમજે છે – ચિંતવે છે. મિથ્યાદ્રષ્ટિ આનાથી વિપરીત ભાવનાવાળો હોય છે.] પ્ર. ૩૨