द्रव्यवृत्तिरूपेणोपयोगेन च निर्वृत्तत्वमवतीर्णं प्रतिभाति स जीवः । यत्र पुनरुपयोगसहचरिताया
उवओगमओ उपयोगमयः अखण्डैकप्रतिभासमयेन सर्वविशुद्धेन केवलज्ञानदर्शनलक्षणेनार्थग्रहणव्यापार- रूपेण निश्चयनयेनेत्थंभूतशुद्धोपयोगेन, व्यवहारेण पुनर्मतिज्ञानाद्यशुद्धोपयोगेन च निर्वृत्तत्वान्निष्पन्न- त्वादुपयोगमयः । पोग्गलदव्वप्पमुहं अचेदणं हवदि अज्जीवं पुद्गलद्रव्यप्रमुखमचेतनं भवत्यजीवद्रव्यं; पुद्गलधर्माधर्माकाशकालसंज्ञं द्रव्यपञ्चकं पूर्वोक्तलक्षणचेतनाया उपयोगस्य चाभावादजीवमचेतनं ભેદ છે. જીવનું વિશેષલક્ષણ ચેતના -ઉપયોગમયપણું (ચેતનામયપણું તથા ઉપયોગમયપણું) છે; અને અજીવનું (વિશેષલક્ષણ) અચેતનપણું છે. ત્યાં, (જીવના) સ્વધર્મોમાં વ્યાપનારી હોવાથી (જીવના) સ્વરૂપપણે પ્રકાશતી, અવિનાશિની, ભગવતી, સંવેદનરૂપ ચેતના વડે તથા ચેતનાપરિણામલક્ષણ, *દ્રવ્યપરિણતિરૂપ ઉપયોગ વડે નિષ્પન્નપણું ( – રચાયેલાપણું, બનેલાપણું) જેમાં ઊતરેલું પ્રતિભાસે છે, તે જીવ છે; અને જેમાં ઉપયોગની સાથે રહેનારી, +યથોક્ત લક્ષણવાળી ચેતનાનો અભાવ હોવાથી બહાર તેમ જ અંદર અચેતનપણું ઊતરેલું પ્રતિભાસે છે, તે અજીવ છે.
ભાવાર્થઃ — દ્રવ્યપણારૂપ સામાન્યની અપેક્ષાએ દ્રવ્યોમાં એકપણું છે તોપણ વિશેષલક્ષણોની અપેક્ષાએ તેમના જીવ ને અજીવ એવા બે ભેદ છે. જે (દ્રવ્ય) ભગવતી ચેતના વડે અને ચેતનાના પરિણામસ્વરૂપ ઉપયોગ વડે રચાયેલ છે તે જીવ છે, અને જે (દ્રવ્ય) ચેતના રહિત હોવાથી અચેતન છે તે અજીવ છે. જીવનો એક જ ભેદ છે; અજીવના પાંચ ભેદ છે. આ બધાંનો વિસ્તાર આગળ આવશે. ૧૨૭.