लक्षणभूतं यथासंभवं सर्वपुद्गलेषु साधारणम् । यथैव चानन्तज्ञानादिचतुष्टयं मुक्तजीवेऽतीन्द्रियज्ञान-
गम्यमागमगम्यं च । यथा वानन्तचतुष्टयस्य संसारिजीवे रागादिस्नेहनिमित्तेन कर्मबन्धवशादशुद्धत्वं
स्निग्धगुणाभावे बन्धनेऽसति परमाणुपुद्गलावस्थायां शुद्धत्वमिति । सद्दो सो पोग्गलो यस्तु शब्दः स
[શબ્દને (પર્યાય નહિ માનતાં) ગુણ માનવામાં આવે તો તે કઈ રીતે યોગ્ય નથી તેનું સમાધાનઃ — ]
પ્રથમ તો, શબ્દ અમૂર્ત દ્રવ્યનો ગુણ નથી કેમ કે ગુણ -ગુણીને અભિન્ન પ્રદેશપણું હોવાને લીધે તેઓ (ગુણ -ગુણી) ૧એક વેદનથી વેદ્ય હોવાથી અમૂર્ત દ્રવ્યને પણ શ્રવણેંદ્રિયના વિષયભૂતપણું આવી પડે.
(બીજું, શબ્દમાં) પર્યાયના લક્ષણ વડે ગુણનું લક્ષણ ઉત્થાપિત થતું હોવાથી શબ્દ મૂર્ત દ્રવ્યનો ગુણ પણ નથી. પર્યાયનું લક્ષણ કાદાચિત્કપણું (અનિત્યપણું) છે અને ગુણનું લક્ષણ નિત્યપણું છે; માટે (શબ્દમાં) કાદાચિત્કપણા વડે નિત્યપણું ઉત્થાપિત થતું હોવાથી (અર્થાત્ શબ્દ કોઇક વાર જ થતો હોવાથી અને નિત્ય નહિ હોવાથી) શબ્દ તે ગુણ નથી. જે ત્યાં નિત્યપણું છે તે તેને (શબ્દને) ઉત્પન્ન કરનારાં પુદ્ગલોનું અને તેમના સ્પર્શાદિક ગુણોનું જ છે, શબ્દપર્યાયનું નહિ — એમ અતિ દ્રઢપણે ગ્રહણ કરવું. ૧. એક વેદનથી વેદ્ય = એક જ્ઞાનથી જણાવાયોગ્ય. (નૈયાયિકો શબ્દને આકાશનો ગુણ માને છે પણ
તે જ ઇન્દ્રિયથી ગુણી પણ જણાવો જોઈએ. શબ્દ કર્ણેન્દ્રિયથી જણાય છે માટે આકાશ પણ કર્ણેન્દ્રિયથી
જણાવું જોઇએ. પણ આકાશ તો કોઇ ઇન્દ્રિયથી જણાતું નથી. માટે શબ્દ આકાશ વગેરે અમૂર્તિક
દ્રવ્યોનો ગુણ નથી.)