भावावस्थितबलीवर्दनिमित्तोपयोगाधिरूढबलीवर्दाकारदर्शनज्ञानसंबन्धो बलीवर्दसंबन्धव्यवहार-
साधकस्त्वस्त्येव, तथा किलात्मनो नीरूपत्वेन स्पर्शशून्यत्वान्न कर्मपुद्गलैः सहास्ति संबन्धः,
एकावगाहभावावस्थितकर्मपुद्गलनिमित्तोपयोगाधिरूढरागद्वेषादिभावसंबन्धः कर्मपुद्गलबन्ध-
व्यवहारसाधकस्त्वस्त्येव ।।१७४।।
लक्षणसंबन्धोऽस्ति । यथा वा समवसरणे प्रत्यक्षजिनेश्वरं दृष्टवा विशेषभेदज्ञानी मन्यते
विकल्परूपं भावबन्धोपयोगं करोति । तस्मिन्सति मूर्तद्रव्यकर्मणा सह यद्यपि तादात्म्यसंबन्धो नास्ति
છે કે અમૂર્ત મૂર્તને કઈ રીતે દેખે છે અને જાણે છે?
વળી એમ નથી કે આ વાત (અરૂપીનો રૂપી સાથે બંધ થવાની વાત) અત્યંત દુર્ઘટ છે તેથી તેને દાર્ષ્ટાંતરૂપ બનાવી છે ( – દ્રષ્ટાંતથી સમજાવી છે), પરંતુ દ્રષ્ટાંત દ્વારા આબાલગોપાલ સૌને પ્રગટ થાય તેથી દ્રષ્ટાંત વડે સમજાવવામાં આવી છે. તે આ પ્રમાણેઃ જેવી રીતે બાળને અથવા ગોપાળને પૃથક્ રહેલા માટીના વૃષભને અથવા (સાચા) વૃષભને દેખતાં અને જાણતાં વૃષભ સાથે સંબંધ નથી, તોપણ *વિષયપણે રહેલો વૃષભ જેમનું નિમિત્ત છે એવાં જે ઉપયોગમાં આરૂઢ વૃષભાકાર દર્શન -જ્ઞાન તેમની સાથેનો સંબંધ વૃષભ સાથેના સંબંધરૂપ વ્યવહારનો સાધક જરૂર છે; તેવી રીતે આત્મા અરૂપીપણાને લીધે સ્પર્શશૂન્ય હોવાથી તેને કર્મપુદ્ગલો સાથે સંબંધ નથી, તોપણ એકાવગાહપણે રહેલાં કર્મપુદ્ગલો જેમનું નિમિત્ત છે એવા જે ઉપયોગમાં આરૂઢ રાગદ્વેષાદિભાવો તેમની સાથેનો સંબંધ કર્મપુદ્ગલો સાથેના બંધરૂપ વ્યવહારનો સાધક જરૂર છે.
ભાવાર્થઃ — ‘આત્મા અમૂર્તિક હોવા છતાં મૂર્તિક કર્મપુદ્ગલો સાથે કેમ બંધાય છે?’ એવા પ્રશ્નનો આચાર્ય ભગવાને ઉત્તર આપ્યો છે કે — આત્મા અમૂર્તિક હોવા છતાં *વૃષભ અર્થાત્ બળદ વૃષભાકાર દર્શન -જ્ઞાનનું નિમિત્ત છે.