नमस्कारं कृत्वा ।।४।। तेषामेवार्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधूनां विशुद्धज्ञानदर्शनप्रधानत्वेन
सम्यग्दर्शनज्ञानसंपन्नो भूत्वा, जीवत्कषायकणतया पुण्यबन्धसंप्राप्तिहेतुभूतं सरागचारित्रं
હવે એ રીતે અર્હંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા સર્વ સાધુને, પ્રણામ અને વંદનોચ્ચાર વડે પ્રવર્તતા દ્વૈત દ્વારા, ૧ભાવ્યભાવકપણાને લીધે ઊપજેલા અતિ ગાઢ ૨ઇતરેતર મિલનના કારણે સમસ્ત સ્વપરનો વિભાગ વિલીન થઈ જવાથી જેમાં ૩અદ્વૈત પ્રવર્તે છે એવો નમસ્કાર કરીને, તે જ અર્હંત -સિદ્ધ -આચાર્ય -ઉપાધ્યાય -સર્વસાધુના આશ્રમને — કે જે (આશ્રમ) વિશુદ્ધજ્ઞાનદર્શનપ્રધાન હોવાથી ૪સહજશુદ્ધદર્શનજ્ઞાન- સ્વભાવવાળા આત્મતત્ત્વનાં શ્રદ્ધાન ને જ્ઞાન જેમનાં લક્ષણ છે એવાં સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનનો ૫સંપાદક છે તેને — પામીને, સમ્યગ્દર્શનજ્ઞાનસંપન્ન થઈને, જેમાં ૬કષાયકણ વિદ્યમાન હોવાથી જીવને જે પુણ્યબંધની પ્રાપ્તિનું કારણ છે એવા સરાગચારિત્રને — તે ૧. ભાવ્ય=ભાવવાયોગ્ય; ચિંતવવાયોગ્ય; ધ્યાન કરવા યોગ્ય અર્થાત્ ધ્યેય.
ભાવક=ભાવનાર; ચિંતવનાર; ધ્યાન કરનાર અર્થાત્ ધ્યાતા. ૨. ઇતરેતર મિલન=એકબીજાનું — પરસ્પર — મળી જવું અર્થાત્ મિશ્રિત થઈ જવું. ૩. પંચ પરમેષ્ઠી પ્રત્યે અત્યંત આરાધ્યભાવને લીધે આરાધ્ય એવા પંચ પરમેષ્ઠી ભગવંતોનો અને
કહ્યું છે તોપણ તીવ્ર ભક્તિભાવથી સ્વપરનો ભેદ વિલીન થઈ જવાની અપેક્ષાએ તો તેમાં અદ્વૈત પ્રવર્તે છે. ૪. સહજશુદ્ધદર્શનજ્ઞાનસ્વભાવવાળા=સહજ શુદ્ધ દર્શન અને જ્ઞાન જેનો સ્વભાવ છે એવા ૫. સંપાદક=પ્રાપ્ત કરાવનાર; ઉત્પન્ન કરનાર. ૬. કષાયકણ=કષાયનો નાનો અંશ