तत इममात्मानं युवां विमुञ्चतं; अयमात्मा अद्योद्भिन्नज्ञानज्योतिः आत्मानमेवात्मनो-
ऽनादिजनकमुपसर्पति । अहो इदंजनशरीररमण्या आत्मन्, अस्य जनस्यात्मानं न त्वं रमय-
स्वानुभूतिमेवात्मनोऽनादिरमणीमुपसर्पति । अहो इदंजनशरीरपुत्रस्यात्मन्, अस्य जनस्यात्मनो
अद्योद्भिन्नज्ञानज्योतिः आत्मानमेवात्मनोऽनादिजन्यमुपसर्पति । एवं गुरुकलत्रपुत्रेभ्य आत्मानं
परमात्मानमेव निश्चयनयेनानादिबन्धुवर्गं पितरं मातरं कलत्रं पुत्रं चाश्रयति, तेन कारणेन मां मुञ्चत
यूयमिति क्षमितव्यं करोति । ततश्च किं करोति । परमचैतन्यमात्रनिजात्मतत्त्वसर्वप्रकारोपादेय-
આત્મારૂપી જે પોતાનો અનાદિ બંધુ તેની પાસે જાય છે.
અહો આ પુરુષના શરીરના ૧જનકના આત્મા! અહો આ પુરુષના શરીરની જનનીના આત્મા! આ પુરુષનો આત્મા તમારાથી જનિત નથી એમ નિશ્ચયથી તમે જાણો. તેથી આ આત્માને તમે છોડો. જેને જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે આત્મારૂપી જે પોતાનો અનાદિ જનક તેની પાસે જાય છે. અહો આ પુરુષના શરીરની રમણીના આત્મા! આ પુરુષના આત્માને તું રમાડતો નથી એમ નિશ્ચયથી તું જાણ. તેથી આ આત્માને તું છોડ. જેને જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે સ્વાનુભૂતિરૂપી જે પોતાની અનાદિ રમણી તેની પાસે જાય છે. અહો આ પુરુષના શરીરના પુત્રના આત્મા! આ પુરુષના આત્માનો તું ૨જન્ય નથી એમ નિશ્ચયથી તું જાણ. તેથી આ આત્માને તું છોડ. જેને જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે આત્મારૂપી જે પોતાનો અનાદિ ૨જન્ય તેની પાસે જાય છે. — આ રીતે વડીલો, સ્ત્રી અને પુત્રથી પોતાને છોડાવે છે.
(અહીં એમ સમજવું કે, જે કોઈ જીવ મુનિ થવા ઇચ્છે છે, તે કુટુંબથી સર્વ પ્રકારે વિરક્ત જ હોય છે તેથી કુટુંબની સંમતિથી જ મુનિ થવાનો નિયમ નથી. એમ કુટુંબના ભરોસે ૧. જનક = પિતા. ૨.જન્ય = જન્મવાયોગ્ય; ઉત્પન્ન થવા યોગ્ય; સંતાન.