रोहति । ततः समस्तावद्यकर्मायतनं कायमुत्सृज्य यथाजातरूपं स्वरूपमेकमेकाग्रेणालम्ब्य व्यव-
निर्विकल्पसमाधिबलेन कायमुत्सृज्योपस्थितो भवति । ततश्चैवं परिपूर्णश्रमणसामग्यां सत्यां परिपूर्ण- श्रमणो भवतीत्यर्थः ।।२०७।। एवं दीक्षाभिमुखपुरुषस्य दीक्षाविधानकथनमुख्यत्वेन प्रथमस्थले પ્રત્યાખ્યાનસ્વરૂપ એક મહાવ્રતને સાંભળવારૂપ શ્રુતજ્ઞાન વડે સમયમાં પરિણમતા આત્માને જાણતો થકો, ૧સામાયિકમાં આરૂઢ થાય છે. પછી ૨પ્રતિક્રમણ -આલોચના -પ્રત્યાખ્યાનસ્વરૂપ ક્રિયાને સાંભળવારૂપ શ્રુતજ્ઞાન વડે ત્રિકાળિક કર્મોથી વિવિક્ત (ભિન્ન) કરવામાં આવતા આત્માને જાણતો થકો, અતીત -વર્તમાન -અનાગત કાય -વચન -મનસંબંધી કર્મોથી વિવિક્તપણામાં આરૂઢ થાય છે. પછી સમસ્ત સાવદ્ય કર્મના ૩આયતનભૂત કાયનો ૪ઉત્સર્ગ કરીને યથાજાતરૂપવાળા સ્વરૂપને એકને એકાગ્રપણે અવલંબીને રહેતો થકો, ઉપસ્થિત થાય છે. અને ઉપસ્થિત થયો થકો, સર્વત્ર સમદ્રષ્ટિપણાને લીધે સાક્ષાત્ શ્રમણ થાય છે. ૨૦૭.
અવિચ્છિન્ન સામાયિકમાં આરૂઢ થયો હોવા છતાં શ્રમણ કદાચિત્ છેદોપસ્થાનપનને યોગ્ય છે એમ હવે ઉપદેશે છેઃ —
૧. સમયમાં (આત્મદ્રવ્યમાં, નિજદ્રવ્યસ્વભાવમાં) પરિણમવું તે સામાયિક છે. ૨. અતીત -વર્તમાન -અનાગત કાય -વચન -મનસંબંધી કર્મોથી ભિન્ન નિજશુદ્ધાત્મપરિણતિ તે પ્રતિક્રમણ-
આલોચના -પ્રત્યાખ્યાનસ્વરૂપ ક્રિયા છે. ૩. આયતન = સ્થાન; રહેઠાણ. ૪. કાયનો ઉત્સર્ગ કરીને = કાયાને છોડીને અર્થાત્ તેની ઉપેક્ષા કરીને