निश्चेतनस्य वचसामतिविस्तरेऽपि ।।१४।।
ऽन्तराधिकारः प्रारभ्यते । तत्र चत्वारि स्थलानि भवन्ति । तस्मिन्प्रथमस्थले निर्ग्रन्थमोक्षमार्ग-
निमित्तमपवादव्याख्यानमुख्यत्वेन ‘छेदो जेण ण विज्जदि’ इत्यादि सूत्रत्रयम् । तदनन्तरं स्त्रीनिर्वाण-
ભાવાર્થઃ — અશુદ્ધોપયોગનો અસદ્ભાવ હોય તોપણ કાયાની હલનચલનાદિ ક્રિયા થતાં પર જીવોના પ્રાણોનો ઘાત થઇ જાય છે. માટે કાયચેષ્ટાપૂર્વક પરપ્રાણોના ઘાતથી બંધ થવાનો નિયમ નથી; — અશુદ્ધોપયોગના સદ્ભાવમાં થતો જે કાયચેષ્ટાપૂર્વક પરપ્રાણોનો ઘાત તેનાથી તો બંધ થાય છે, અને અશુદ્ધોપયોગના અસદ્ભાવમાં થતો જે કાયચેષ્ટાપૂર્વક પરપ્રાણોનો ઘાત તેનાથી બંધ થતો નથી. આ રીતે કાયચેષ્ટાપૂર્વક થતા પરપ્રાણોના ઘાતથી બંધ થવાનું અનૈકાંતિક હોવાથી તેને છેદપણું અનૈકાંતિક છે — નિયમરૂપ નથી.
જેમ ભાવ વિના પણ પરપ્રાણોનો ઘાત થઈ જાય છે, તેમ ભાવ ન હોય તોપણ પરિગ્રહનું ગ્રહણ થાય એમ કદી બને નહિ. જ્યાં પરિગ્રહનું ગ્રહણ હોય છે ત્યાં અશુદ્ધોપ- યોગનો સદ્ભાવ અવશ્ય હોય જ છે. માટે પરિગ્રહથી બંધ થવાનું તો એકાંતિક – નિશ્ચિત – નિયમરૂપ છે. તેથી પરિગ્રહને છેદપણું એકાંતિક છે. આમ હોવાથી જ પરમ શ્રમણ એવા અર્હંતભગવંતોએ પ્રથમથી જ સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો છે અને અન્ય શ્રમણોએ પણ પ્રથમથી જ સર્વ પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ. ૨૧૯.
[હવે, ‘કહેવાયોગ્ય બધું કહેવાયું છે’ ઇત્યાદિ કથન શ્લોક દ્વારા કરવામાં આવે છેઃ] [અર્થઃ — ] જે કહેવા જેવું જ હતું તે અશેષપણે કહેવાયું છે, એટલાથી જ જો કોઈ અહીં ચેતે – સમજે તો. (બાકી તો,) વાણીનો અતિ વિસ્તાર કરવામાં આવે તોપણ નિશ્ચેતનને ( – અણસમજુને, જડ જેવાને) ખરેખર વ્યામોહની ( – મોહની) જાળ અતિ દુસ્તર છે. *વસંતતિલકા છંદ