एककाल एवाहारो युक्ताहारः, तावतैव श्रामण्यपर्यायसहकारिकारणशरीरस्य धारण- त्वात् । अनेककालस्तु शरीरानुरागसेव्यमानत्वेन प्रसह्य हिंसायतनीक्रियमाणो न युक्तः, देहेऽपि ममत्वरहितस्तथैव तं देहं तपसा योजयति स नियमेन युक्ताहारविहारो भवतीति ।।२२८।। अथ युक्ताहारत्वं विस्तरेणाख्याति – एक्कं खलु तं भत्तं एककाल एव खलु हि स्फु टं स भक्त आहारो युक्ताहारः । कस्मात् । एकभक्तेनैव निर्विकल्पसमाधिसहकारिकारणभूतशरीरस्थितिसंभवात् । स च कथंभूतः । अप्पडिपुण्णोदरं यथाशक्त्या न्यूनोदरः । जहालद्धं यथालब्धो, न च स्वेच्छालब्धः । चरणं भिक्खेण
ભાવાર્થઃ — શ્રમણ બે પ્રકારે યુક્તાહારી સિદ્ધ થાય છેઃ (૧) શરીર પર મમત્વ નહિ હોવાથી તેને ઉચિત જ આહાર હોય છે તેથી તે યુક્તાહારી અર્થાત્ ઉચિત આહારવાળો છે. વળી (૨) ‘આહારગ્રહણ આત્માનો સ્વભાવ નથી’ એવા પરિણામસ્વરૂપ યોગ શ્રમણને વર્તતો હોવાથી તે શ્રમણ યુક્ત અર્થાત્ યોગી છે અને તેથી તેનો આહાર યુક્તાહાર અર્થાત્ યોગીનો આહાર છે. ૨૨૮.
અન્વયાર્થઃ — [खलु] ખરેખર [सः भक्तः] તે આહાર ( – યુક્તાહાર) [एकः] એક વખત, [अप्रतिपूर्णोदरः] ઊણોદર, [यथालब्धः] યથાલબ્ધ ( – જેવો મળે તેવો), [भैक्षाचरणेन] ભિક્ષાચરણથી, [दिवा] દિવસે, [न रसापेक्षः] રસની અપેક્ષા વિનાનો અને [न मधुमांसः] મધ- માંસ રહિત હોય છે.
ટીકાઃ — એક વખત આહાર તે જ યુક્તાહાર છે, કારણ કે તેટલાથી જ શ્રામણ્ય- પર્યાયના સહકારી કારણભૂત શરીર ટકે છે. [એકથી વધારે વખત આહાર તે યુક્તાહાર નથી એમ નીચે પ્રમાણે બે પ્રકારે સિદ્ધ થાય છેઃ] (૧) અનેક વખત આહાર તો શરીરના અનુરાગથી સેવવામાં આવતો હોવાથી અત્યંતપણે ૧હિંસાયતન કરવામાં આવતો થકો યુક્ત ૧. હિંસાયતન = હિંસાનું સ્થાન. [એકથી વધારે વખત આહાર કરવામાં શરીરનો અનુરાગ હોય છે તેથી તે