Pravachansar (Gujarati). Mokshamarg PragyApan Gatha: 232.

< Previous Page   Next Page >


Page 430 of 513
PDF/HTML Page 461 of 544

 

૪૩૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-

अथ श्रामण्यापरनाम्नो मोक्षमार्गस्यैकाग्र्यलक्षणस्य प्रज्ञापनम् तत्र तन्मूलसाधनभूते प्रथममागम एव व्यापारयति

एयग्गगदो समणो एयग्गं णिच्छिदस्स अत्थेसु
णिच्छित्ती आगमदो आगमचेट्ठा तदो जेट्ठा ।।२३२।।
ऐकाग्र्यतः श्रमणः ऐकाग्र्यं| निश्चितस्य अर्थेषु
निश्चितिरागमत आगमचेष्टा ततो ज्येष्ठा ।।२३२।।

श्रमणो हि तावदैकाग्र्यगत एव भवति ऐकाग्र्यं| तु निश्चितार्थस्यैव भवति अर्थनिश्चयस्त्वागमादेव भवति तत आगम एव व्यापारः प्रधानतरः, न चान्या गतिरस्ति यतो न खल्वागममन्तरेणार्था निश्चेतुं शक्यन्ते, तस्यैव हि त्रिसमयप्रवृत्तत्रिलक्षणसकलपदार्थ- सार्थयाथात्म्यावगमसुस्थितान्तरङ्गगम्भीरत्वात् न चार्थनिश्चयमन्तरेणैकाग्र्यं सिद्धयेत्, निश्चयव्यवहारमोक्षमार्गोपसंहारमुख्यत्वेन ‘मुज्झदि वा’ इत्यादि चतुर्थस्थले गाथाद्वयम् एवं स्थलचतुष्टयेन तृतीयान्तराधिकारे समुदायपातनिका तद्यथाअथैकाग्र्यगतः श्रमणो भवति

હવે શ્રામણ્ય જેનું બીજું નામ છે એવા એકાગ્રતાલક્ષણવાળા મોક્ષમાર્ગનું પ્રજ્ઞાપન છે. તેમાં પ્રથમ, તેના (મોક્ષમાર્ગના) મૂળસાધનભૂત આગમમાં જ વ્યાપાર (પ્રવૃત્તિ) કરાવે છેઃ

શ્રામણ્ય જ્યાં ઐકાગ્ર્ય,ને ઐકાગ્ર્ય વસ્તુનિશ્ચયે,
નિશ્ચય બને આગમ વડે, આગમપ્રવર્તન મુખ્ય છે. ૨૩૨.

અન્વયાર્થઃ[श्रमणः] શ્રમણ [ऐकाग्र्यतः] એકાગ્રતાને પ્રાપ્ત હોય છે; [ऐकाग्र्यं|] એકાગ્રતા [अर्थेषु निश्चितस्य] પદાર્થોના નિશ્ચયવંતને હોય છે; [निश्चितिः] (પદાર્થોનો) નિશ્ચય [आगमतः] આગમ દ્વારા થાય છે; [ततः] તેથી [आगमचेष्टा] આગમમાં વ્યાપાર [ज्येष्ठा] મુખ્ય છે.

ટીકાઃપ્રથમ તો, શ્રમણ ખરેખર એકાગ્રતાને પ્રાપ્ત જ હોય છે; એકાગ્રતા પદાર્થોના નિશ્ચયવંતને જ હોય છે; અને પદાર્થોનો નિશ્ચય આગમ દ્વારા જ થાય છે; તેથી આગમમાં જ વ્યાપાર પ્રધાનતર (વિશેષ પ્રધાન) છે; બીજી ગતિ (બીજો કોઈ રસ્તો) નથી. તેનું કારણ આ પ્રમાણે છેઃ

ખરેખર આગમ વિના પદાર્થોનો નિશ્ચય કરી શકાતો નથી; કારણ કે આગમ જ, જેને ત્રણે કાળે (ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યરૂપ) ત્રણ લક્ષણો પ્રવર્તે છે એવા સકળપદાર્થસાર્થના યથાતથ જ્ઞાન વડે સુસ્થિત અંતરંગથી ગંભીર છે (અર્થાત્ આગમનું જ અંતરંગ સર્વ