इह हि सर्वस्यापि स्यात्कारकेतनागमपूर्विकया तत्त्वार्थश्रद्धानलक्षणया द्रष्टया शून्यस्य स्वपरविभागाभावात् कायकषायैः सहैक्यमध्यवसतोऽनिरुद्धविषयाभिलाषतया षड्जीवनिकाय- घातिनो भूत्वा सर्वतोऽपि कृतप्रवृत्तेः सर्वतो निवृत्त्यभावात्तथा परमात्मज्ञानाभावाद् ज्ञेयचक्र- क्रमाक्रमणनिरर्गलज्ञप्तितया ज्ञानरूपात्मतत्त्वैकाग्र्यप्रवृत्त्यभावाच्च संयम एव न तावत् सिद्धयेत् । आगमपूर्विका द्रष्टिः सम्यक्त्वं नास्ति यस्येह लोके संजमो तस्स णत्थि संयमस्तस्य नास्ति इदि भणदि इत्येवं भणति कथयति । किं कर्तृ । सुत्तं सूत्रमागमः । असंजदो होदि किध समणो असंयतः सन् श्रमणस्तपोधनः कथं भवति, न कथमपीति । तथाहि — यदि निर्दोषिनिजपरमात्मैवोपादेय इति रुचिरूपं सम्यक्त्वं नास्ति तर्हि परमागमबलेन विशदैकज्ञानरूपमात्मानं जानन्नपि सम्यग्द्रष्टिर्न भवति, ज्ञानी च न भवति, तद्द्वयाभावे सति पञ्चेन्द्रियविषयाभिलाषषड्जीववधव्यावृत्तोऽपि संयतो न भवति । ततः
અન્વયાર્થઃ — [इह] આ લોકમાં [यस्य] જેને [आगमपूर्वा द्रष्टिः] આગમપૂર્વક દ્રષ્ટિ (-દર્શન) [न भवति] નથી [तस्य] તેને [संयमः] સંયમ [न अस्ति] નથી [इति] એમ [सूत्रं भणति] સૂત્ર કહે છે; અને [असंयतः] અસંયત તે [श्रमणः] શ્રમણ [कथं भवति] કઈ રીતે હોય?
ટીકાઃ — આ લોકમાં ખરેખર, સ્યાત્કાર જેનું ચિહ્ન છે એવા આગમપૂર્વક ૧તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણવાળી દ્રષ્ટિથી જે શૂન્ય છે તે બધાયને સંયમ જ પ્રથમ તો સિદ્ધ થતો નથી, કારણ કે (૧) સ્વપરના વિભાગના અભાવને લીધે કાયા અને કષાયો સાથે એકતાનો અધ્યવસાય કરતા એવા તે જીવો, (પોતાને) ૨વિષયોની અભિલાષાનો નિરોધ નહિ થયો હોવાને લીધે છ જીવનિકાયના ઘાતી થઈને સર્વતઃ (બધીયે તરફથી) પ્રવૃત્તિ કરતા હોવાથી, તેમને સર્વતઃ નિવૃત્તિનો અભાવ છે (અર્થાત્ એક્કે તરફથી — જરાય નિવૃત્તિ નથી), તેમ જ (૨) તેમને પરમાત્મજ્ઞાનના અભાવને લીધે જ્ઞેયસમૂહને ક્રમે જાણતી ૩નિરર્ગળજ્ઞપ્તિ ૧. તત્ત્વાર્થશ્રદ્ધાનલક્ષણવાળી = તત્ત્વાર્થનું શ્રદ્ધાન જેનું લક્ષણ છે એવી. [સમ્યગ્દર્શનનું લક્ષણ તત્ત્વાર્થશ્રદ્ધાન
છે. તે આગમપૂર્વક હોય છે. આગમનું ચિહ્ન ‘સ્યાત્’કાર છે.] ૨. જે જીવોને સ્વપરનું ભેદજ્ઞાન નથી તેમને ભલે કદાચિત્ પાંચ ઇન્દ્રિયોનાં વિષયોનો સંયોગ ન દેખાતો
હોય, છ જીવનિકાયની દ્રવ્યહિંસા ન દેખાતી હોય અને એ રીતે સંયોગથી નિવૃત્તિ દેખાતી હોય, તોપણ કાયા અને કષાયો સાથે એકતા માનનારા તે જીવોને ખરેખર પાંચ ઇન્દ્રિયોના વિષયોની અભિલાષાનો નિરોધ નથી, હિંસાનો જરાય અભાવ નથી અને એ રીતે પરભાવથી બિલકુલ નિવૃત્તિ નથી. ૩. નિરર્ગળ = અંકુશ વિનાની; સંયમ વિનાની; નિરંકુશ; સ્વચ્છંદી.