Pravachansar (Gujarati). Gatha: 11.

< Previous Page   Next Page >


Page 17 of 513
PDF/HTML Page 48 of 544

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૭

अथ चारित्रपरिणामसंपर्कसम्भववतोः शुद्धशुभपरिणामयोरुपादानहानाय फल- मालोचयति

धम्मेण परिणदप्पा अप्पा जदि सुद्धसंपओगजुदो
पावदि णिव्वाणसुहं सुहोवजुत्तो य सग्गसुहं ।।११।।
धर्मेण परिणतात्मा आत्मा यदि शुद्धसंप्रयोगयुतः
प्राप्नोति निर्वाणसुखं शुभोपयुक्तो वा स्वर्गसुखम् ।।११।।
शुद्धशुभोपयोगपरिणामयोः संक्षेपेण फलं दर्शयति ---धम्मेण परिणदप्पा अप्पा धर्म्मेण परिणतात्मा
परिणतस्वरूपः सन्नयमात्मा जदि सुद्धसंपओगजुदो यदि चेच्छुद्धोपयोगाभिधानशुद्धसंप्रयोग-
परिणामयुतः परिणतो भवति पावदि णिव्वाणसुहं तदा निर्वाणसुखं प्राप्नोति सुहोवजुत्तो व सग्गसुहं
शुभोपयोगयुतः परिणतः सन् स्वर्गसुखं प्राप्नोति इतो विस्तरम् ---इह धर्मशब्देनाहिंसालक्षणः
सागारानगाररूपस्तथोत्तमक्षमादिलक्षणो रत्नत्रयात्मको वा, तथा मोहक्षोभरहित आत्मपरिणामः शुद्ध-
वस्तुस्वभावश्चेति गृह्यते
स एव धर्मः पर्यायान्तरेण चारित्रं भण्यते ‘चारित्तं खलु धम्मो’ इति
वचनात् तच्च चारित्रमपहृतसंयमोपेक्षासंयमभेदेन सरागवीतरागभेदेन वा शुभोपयोगशुद्धोपयोगभेदेन

વળી વસ્તુ તો દ્રવ્ય -ગુણ -પર્યાયમય છે. ત્યાં ત્રૈકાલિક ઊર્ધ્વ પ્રવાહસામાન્ય તે દ્રવ્ય છે, સાથે સાથે રહેનારા ભેદો તે ગુણો છે અને ક્રમે ક્રમે થતા ભેદો તે પર્યાયો છે. આવાં દ્રવ્ય, ગુણ ને પર્યાયની એકતા વિનાની કોઈ વસ્તુ હોતી નથી. બીજી રીતે કહીએ તો, વસ્તુ ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યમય છે અર્થાત્ તે ઊપજે છે, વિણસે છે અને ટકે છે. આમ તે દ્રવ્ય- ગુણ -પર્યાયમય અને ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યમય હોવાથી, તેમાં ક્રિયા (પરિણમન) થયા જ કરે છે. માટે પરિણામ વસ્તુનો સ્વભાવ જ છે. ૧૦.

હવે જેમને ચારિત્રપરિણામ સાથે સંપર્ક (સંબંધ) છે એવા જે શુદ્ધ અને શુભ (બે પ્રકારના) પરિણામો તેમના ગ્રહણ તથા ત્યાગ માટે (શુદ્ધ પરિણામને ગ્રહવા અને શુભ પરિણામને છોડવા માટે) તેમનું ફળ વિચારે છેઃ

જો ધર્મપરિણતસ્વરૂપ જીવ શુદ્ધોપયોગી હોય તો
તે પામતો નિર્વાણસુખ, ને સ્વર્ગસુખ શુભયુક્ત જો. ૧૧.

અન્વયાર્થઃ[धर्मेण परिणतात्मा] ધર્મે પરિણમેલા સ્વરૂપવાળો [आत्मा] આત્મા [यदि] જો [शुद्धसंप्रयोगयुतः] શુદ્ધ ઉપયોગમાં જોડાયેલો હોય તો [निर्वाणसुखं] મોક્ષના સુખને [प्राप्नोति] પામે છે [शुभोपयुक्तः वा] અને જો શુભ ઉપયોગવાળો હોય તો [स्वर्गसुखं] સ્વર્ગના સુખને (બંધને) પામે છે. પ્ર. ૩