एवमेष शुद्धात्मानुरागयोगिप्रशस्तचर्यारूप उपवर्णितः शुभोपयोगः तदयं, शुद्धात्म- प्रकाशिकां समस्तविरतिमुपेयुषां कषायकणसद्भावात्प्रवर्तमानः, शुद्धात्मवृत्तिविरुद्धरागसङ्गत- त्वाद्गौणः श्रमणानां; गृहिणां तु, समस्तविरतेरभावेन शुद्धात्मप्रकाशनस्याभावात्कषायसद्भावा- त्प्रवर्तमानोऽपि, स्फ टिकसम्पर्केणार्कतेजस इवैधसां, रागसंयोगेन शुद्धात्मनोऽनुभवात् क्रमतः परमनिर्वाणसौख्यकारणत्वाच्च, मुख्यः ।।२५४।। गृहस्थानां वा पुनरियमेव चर्या परेत्ति परा सर्वोत्कृष्टेति । ताएव परं लहदि सोक्खं तयैव शुभोपयोगचर्यया परंपरया मोक्षसुखं लभते गृहस्थ इति । तथाहि — तपोधनाः शेषतपोधनानां वैयावृत्त्यं कुर्वाणाः सन्तः कायेन किमपि निरवद्यवैयावृत्त्यं कुर्वन्ति; वचनेन धर्मोपदेशं च । शेषमौषधान्नपानादिकं गृहस्थानामधीनं, तेन कारणेन वैयावृत्त्यरूपो धर्मो गृहस्थानां मुख्यः, तपोधनानां गौणः । द्वितीयं च कारणं — निर्विकारचिच्चमत्कारभावनाप्रतिपक्षभूतेन विषयकषायनिमित्तोत्पन्नेनार्तरौद्रदुर्ध्यानद्वयेन परिणतानां गृहस्थानामात्माश्रितनिश्चयधर्मस्यावकाशो नास्ति, वैयावृत्त्यादिधर्मेण दुर्ध्यानवञ्चना भवति, तपोधनसंसर्गेण निश्चयव्यवहारमोक्षमार्गोपदेशलाभो भवति । ततश्च परंपरया निर्वाणं लभन्ते इत्यभिप्रायः ।।२५४।। एवं शुभोपयोगितपोधनानां शुभानुष्ठानकथनमुख्यतया गाथाष्टकेन द्वितीयस्थलं
અન્વયાર્થઃ — [एषा] આ [प्रशस्तभूता] પ્રશસ્તભૂત [चर्या] ચર્યા [श्रमणानां] શ્રમણોને (ગૌણ) હોય છે [वा गृहस्थानां पुनः] અને ગૃહસ્થોને તો [परा] મુખ્ય હોય છે [इति भणिता] એમ (શાસ્ત્રોમાં) કહ્યું છે; [तया एव] તેનાથી જ [परं सौख्यं लभते] (પરંપરાએ) ગૃહસ્થ પરમ સૌખ્યને પામે છે.
ટીકાઃ — એ રીતે શુદ્ધાત્માનુરાગયુક્ત પ્રશસ્તચર્યારૂપ જે આ શુભોપયોગ વર્ણવવામાં આવ્યો તે આ શુભોપયોગ, શુદ્ધાત્માની પ્રકાશક સર્વવિરતિને પામેલા શ્રમણોને કષાયકણના સદ્ભાવને લીધે પ્રવર્તતો, ગૌણ હોય છે, કારણ કે તે શુભોપયોગ શુદ્ધાત્મપરિણતિથી વિરુદ્ધ એવા રાગ સાથે સંબંધવાળો છે; ગૃહસ્થોને તો તે શુભોપયોગ, સર્વવિરતિના અભાવ વડે *શુદ્ધાત્મપ્રકાશનનો અભાવ હોવાથી કષાયના સદ્ભાવને લીધે પ્રવર્તતો હોવા છતાં પણ, મુખ્ય છે, કારણ કે — જેમ ઇંધનને સ્ફટિકના સંપર્કથી સૂર્યના તેજનો અનુભવ થાય છે (અને તેથી ક્રમશઃ સળગી ઊઠે છે) તેમ — ગૃહસ્થને રાગના સંયોગથી શુદ્ધાત્માનો અનુભવ થાય છે અને (તેથી તે શુભોપયોગ) ક્રમશઃ પરમ નિર્વાણસૌખ્યનું કારણ થાય છે.
ભાવાર્થઃ — દર્શન -અપેક્ષાએ તો શ્રમણને તેમ જ સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થને શુદ્ધાત્માનો *ચારિત્રદશામાં વર્તતું જે ઉગ્ર શુદ્ધાત્મપ્રકાશન તેને જ અહીં શુદ્ધાત્મપ્રકાશન ગણ્યું છે; તેનો સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થને અભાવ છે. બાકી દર્શન -અપેક્ષાએ તો સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થને પણ શુદ્ધાત્માનું પ્રકાશન છે જ.