यथोक्तलक्षणा एव श्रमणा मोहद्वेषाप्रशस्तरागोच्छेदादशुभोपयोगवियुक्ताः सन्तः, सकलकषायोदयविच्छेदात् कदाचित् शुद्धोपयुक्ताः प्रशस्तरागविपाकात्कदाचिच्छुभोपयुक्ताः, स्वयं मोक्षायतनत्वेन लोकं निस्तारयन्ति; तद्भक्तिभावप्रवृत्तप्रशस्तभावा भवन्ति परे च पुण्यभाजः ।।२६०।। भक्तो भव्यवरपुण्डरीकः प्रशस्तफलभूतं स्वर्गं लभते, परंपरया मोक्षं चेति भावार्थः ।।२६०।। एवं पात्रापात्रपरीक्षाकथनमुख्यतया गाथाषटकेन तृतीयस्थलं गतम् । इत ऊर्ध्वं आचारकथितक्रमेण पूर्वं कथितमपि पुनरपि दृढीकरणार्थं विशेषेण तपोधनसमाचारं कथयति । अथाभ्यागततपोधनस्य दिनत्रयपर्यन्तं सामान्यप्रतिपत्तिं, तदनन्तरं विशेषप्रतिपत्तिं दर्शयति — वट्टदु वर्तताम् । स कः । अत्रत्य
અન્વયાર્થઃ — [अशुभोपयोगरहिताः] જેઓ અશુભોપયોગરહિત વર્તતા થકા [शुद्धोपयुक्ताः] શુદ્ધોપયુક્ત [वा] અથવા [शुभोपयुक्ताः] શુભોપયુક્ત હોય છે, તેઓ (તે શ્રમણો) [लोकं निस्तारयन्ति] લોકને તારે છે; (અને) [तेषु भक्तः] તેમના પ્રત્યે ભક્તિવાળો જીવ [प्रशस्तं] પ્રશસ્તને ( – પુણ્યને) [लभते] પામે છે.
ટીકાઃ — યથોક્તલક્ષણ શ્રમણો જ (અર્થાત્ જેવા કહ્યા તેવા જ શ્રમણો) — કે જેઓ મોહ, દ્વેષ અને અપ્રશસ્ત રાગના ઉચ્છેદને લીધે અશુભોપયોગરહિત વર્તતા થકા, સમસ્ત કષાયોદયના વિચ્છેદથી કદાચિત્ ( – ક્યારેક) શુદ્ધોપયુક્ત (શુદ્ધોપયોગમાં જોડાયેલા) અને પ્રશસ્ત રાગના વિપાકથી કદાચિત્ શુભોપયુક્ત હોય છે તેઓ — પોતે મોક્ષાયતન (મોક્ષનું સ્થાન) હોવાથી લોકને તારે છે; અને તેમના પ્રત્યે ભક્તિભાવથી જેમને પ્રશસ્ત ભાવ પ્રવર્તે છે એવા પર જીવો +પુણ્યના ભાગી થાય છે. ૨૬૦. +પુણ્યના ભાગી = પુણ્યશાળી; પુણ્યને ભોગવનારા; પુણ્યનાં ભાજન.