अथ स्वायम्भुवस्यास्य शुद्धात्मस्वभावलाभस्यात्यन्तमनपायित्वं कथंचिदुत्पाद- व्ययध्रौव्ययुक्तत्वं चालोचयति —
केवलज्ञानोत्पत्तिप्रस्तावे यतो भिन्नकारकं नापेक्षते ततः स्वयंभूर्भवतीति भावार्थः ।।१६।। एवं सर्वज्ञमुख्यत्वेन प्रथमगाथा । स्वयंभूमुख्यत्वेन द्वितीया चेति प्रथमस्थले गाथाद्वयं गतम् ।। अथास्य भगवतो द्रव्यार्थिकनयेन नित्यत्वेऽपि पर्यायार्थिकनयेनानित्यत्वमुपदिशति — भंगविहूणो य भवो भङ्ग- विहीनश्च भवः जीवितमरणादिसमताभावलक्षणपरमोपेक्षासंयमरूपशुद्धोपयोगेनोत्पन्नो योऽसौ भवः केवलज्ञानोत्पादः । स किंविशिष्टः । भङ्गविहिनो विनाशरहितः । संभवपरिवज्जिदो विणासो त्ति संभवपरिवर्जितो विनाश इति । योऽसौ मिथ्यात्वरागादिसंसरणरूपसंसारपर्यायस्य विनाशः । स મદદ કરી શકતી નથી. માટે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા ઇચ્છનાર આત્માએ બાહ્ય સામગ્રીની અપેક્ષા રાખી પરતંત્ર થવું નિરર્થક છે. શુદ્ધોપયોગમાં લીન આત્મા પોતે જ છ કારકરૂપ થઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. તે આત્મા પોતે અનંત શક્તિવાળા જ્ઞાયકસ્વભાવ વડે સ્વતંત્ર હોવાથી પોતે જ કર્તા છે; પોતે અનંત શક્તિવાળા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરતો હોવાથી કેવળજ્ઞાન કર્મ છે, અથવા કેવળજ્ઞાનથી પોતે અભિન્ન હોવાથી આત્મા પોતે જ કર્મ છે; પોતાના અનંત શક્તિવાળા પરિણમનસ્વભાવરૂપ ઉત્કૃષ્ટ સાધન વડે કેવળજ્ઞાન કરતો હોવાથી આત્મા પોતે જ કરણ છે; પોતાને જ કેવળજ્ઞાન દેતો હોવાથી આત્મા પોતે જ સંપ્રદાન છે; પોતાનામાંથી મતિ -શ્રુતાદિ અપૂર્ણ જ્ઞાન દૂર કરીને કેવળજ્ઞાન કરતો હોવાથી અને પોતે સહજ જ્ઞાનસ્વભાવ વડે ધ્રુવ રહેતો હોવાથી પોતે જ અપાદાન છે; પોતાનામાં જ અર્થાત્ પોતાના જ આધારે કેવળજ્ઞાન કરતો હોવાથી પોતે જ અધિકરણ છે. આ રીતે સ્વયં (પોતે જ) છ કારકરૂપ થતો હોવાથી તે ‘સ્વયંભૂ’ કહેવાય છે. અથવા, અનાદિ કાળથી અતિ દ્રઢ બંધાયેલાં (જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાયરૂપ) દ્રવ્ય તેમ જ ભાવ ઘાતિકર્મોને નષ્ટ કરીને સ્વયમેવ આવિર્ભૂત થયો અર્થાત્ કોઈની સહાય વિના પોતાની મેળે જ પોતે પ્રગટ થયો તેથી તે ‘સ્વયંભૂ’ કહેવાય છે. ૧૬.
હવે આ સ્વયંભૂને શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિનું અત્યંત અવિનાશીપણું અને કથંચિત્ (કોઈ પ્રકારે) ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યયુક્તપણું વિચારે છેઃ —