અસ્તિત્વ-સત્તા, એ દ્રવ્યપ્રધાન કથા દ્વારા ‘સત્’ શબ્દથી કહેવામાં આવેલ છે. ‘દ્રવ્ય’ પોતે જ ‘સત્’
છે. એમ કહેવામાં આવેલ છે.
કહેવામાં આવે છે.” તેનાથી અવિશિષ્ટ (– તે અસ્તિત્વથી અનન્ય) ગુણભૂત જ દ્રવ્યસ્વભાવભૂત
પરિણામ છે.” ઈ એવો અસ્તિત્વથી જુદાં નહીં (અનન્ય) ગુણભૂત જ દ્રવ્યસ્વભાવ, અસ્તિત્વના
ઉત્પાદવ્યયધ્રૌવ્ય પરિણામ છે. અસ્તિત્વને દ્રવ્યની પ્રધાનતાથી કહીએ, તો કહે છે ઈ અસ્તિત્વનો જે
દ્રવ્યસ્વભાવ, ઉત્પાદવ્યયધ્રૌવ્ય ઈ દ્રવ્યનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? અસ્તિત્વગુણનું દ્રવ્યપ્રધાન કથન
કહીએ, તો અસ્તિગુણ- ઉત્પાદવ્યયધ્રૌવ્ય છે એમન કહેતાં દ્રવ્યથી તે ઉત્પાદવ્યયધ્રૌવ્ય છે. આહા... હા...
હા! સમજાણું કાંઈ? આહા...! દ્રવ્યના સ્વરૂપની હયાતી એવું જે અસ્તિત્વ એનું દ્રવ્યની મુખ્યતાથી
કથન કરતાં (એટલે) સત્તાગુણથી નહિ પણ સત્તાગુણને દ્રવ્યની મુખ્યતાના કથન કરતાં ‘સત્’
શબ્દથી કહેવામાં આવે છે. “તેનાથી અવિશિષ્ટ (–તે અસ્તિત્વથી અનન્ય) ગુણભૂત જ
દ્રવ્યસ્વભાવભૂત પરિણામ છે.” કારણ કે દ્રવ્યની વૃત્તિ ત્રણ પ્રકારના સમયને (–ભૂત, વર્તમાન ને
ભવિષ્ય એવા ત્રણ કાળને) સ્પર્શતી હોવાથી (તે વૃત્તિ અર્થાત્ અસ્તિત્વ) પ્રતિક્ષણે તે તે સ્વભાવે
પરિણમે છે.
પોત-પોતાના અવસરે થાય છે. એ દ્રવ્યના પરિણામ છે. એ પરિણામ (બીજા) કોઈથી થયા છે, કે
(બીજા) કોઈથી થાય છે, કે કોઈથી બદલાય છે એમ નથી. આહા... હા!
= વર્તવું તે; હયાત રહેવું તે; (તેથી) દ્રવ્યની હયાતી. દ્રવ્યનો જે હયાતી નામનો સત્તાગુણ (છે.) એના
અસ્તિત્વસ્વરૂપ દ્રવ્યની હયાતીને લીધે
અને સત્તા અતદ્ભાવ તરીકે અન્યત્વ છે એમ કહ્યું’ તું. છતાં એ અતદ્ભાવ