Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 434 of 540
PDF/HTML Page 443 of 549

 

background image
ગાથા – ૧૦૯ પ્રવચનસાર પ્રવચનો ૪૩૪
ને એ એક જ છે. શું કહ્યું ઈ? સમજાણું? આહા... હા! દ્રવ્યના સ્વરૂપની વૃત્તિ એટલે ટકવું. એવું જે
અસ્તિત્વ-સત્તા, એ દ્રવ્યપ્રધાન કથા દ્વારા ‘સત્’ શબ્દથી કહેવામાં આવેલ છે. ‘દ્રવ્ય’ પોતે જ ‘સત્’
છે. એમ કહેવામાં આવેલ છે.
उत्पादव्ययध्रौव्ययुक्तं सत् તે જ सदद्रव्यलक्षणम् એને અહીંયાં સિદ્ધ
કર્યું છે. આહા... હા... હા! ઉમાસ્વાતિએ જે સૂત્રો કહ્યાં છે (‘તત્ત્વાર્થસૂત્ર’ માં તેને સિદ્ધ કર્યાં છે.)
(કહે છે કેઃ) વસ્તુની સ્વરૂપની હયાતી (સ્વરૂપ) ગુણ એવી (જે) સ ત્તા. એમને દ્રવ્યપ્રધાન
કથન દ્વારા- ‘દ્રવ્યના સ્વરૂપની વૃત્તિભૂત એવું જે અસ્તિત્વ દ્રવ્યપ્રધાન કથન દ્વારા ‘સત્’ શબ્દથી
કહેવામાં આવે છે.” તેનાથી અવિશિષ્ટ (– તે અસ્તિત્વથી અનન્ય) ગુણભૂત જ દ્રવ્યસ્વભાવભૂત
પરિણામ છે.”
ઈ એવો અસ્તિત્વથી જુદાં નહીં (અનન્ય) ગુણભૂત જ દ્રવ્યસ્વભાવ, અસ્તિત્વના
ઉત્પાદવ્યયધ્રૌવ્ય પરિણામ છે. અસ્તિત્વને દ્રવ્યની પ્રધાનતાથી કહીએ, તો કહે છે ઈ અસ્તિત્વનો જે
દ્રવ્યસ્વભાવ, ઉત્પાદવ્યયધ્રૌવ્ય ઈ દ્રવ્યનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? અસ્તિત્વગુણનું દ્રવ્યપ્રધાન કથન
કહીએ, તો અસ્તિગુણ- ઉત્પાદવ્યયધ્રૌવ્ય છે એમન કહેતાં દ્રવ્યથી તે ઉત્પાદવ્યયધ્રૌવ્ય છે. આહા... હા...
હા! સમજાણું કાંઈ? આહા...! દ્રવ્યના સ્વરૂપની હયાતી એવું જે અસ્તિત્વ એનું દ્રવ્યની મુખ્યતાથી
કથન કરતાં (એટલે) સત્તાગુણથી નહિ પણ સત્તાગુણને દ્રવ્યની મુખ્યતાના કથન કરતાં ‘સત્’
શબ્દથી કહેવામાં આવે છે. “તેનાથી અવિશિષ્ટ (–તે અસ્તિત્વથી અનન્ય) ગુણભૂત જ
દ્રવ્યસ્વભાવભૂત પરિણામ છે.” કારણ કે દ્રવ્યની વૃત્તિ ત્રણ પ્રકારના સમયને (–ભૂત, વર્તમાન ને
ભવિષ્ય એવા ત્રણ કાળને) સ્પર્શતી હોવાથી (તે વૃત્તિ અર્થાત્ અસ્તિત્વ) પ્રતિક્ષણે તે તે સ્વભાવે
પરિણમે છે.
પ્રવચનઃ તા. ૩૦–૬–૭૯.
છેલ્લો પેરેગ્રાફ છે. “(આ પ્રમાણે) ત્યારે પ્રથમ તો, દ્રવ્યના સ્વભાવભૂત પરિણામ છે.” શું
કહે છે? કે ઉત્પાદવ્યયને ધ્રૌવ્ય થાય છે. ઈ દ્રવ્યના પરિણામ છે. જે ક્ષણે ક્ષણે ઉત્પાદવ્યયને ધ્રૌવ્ય,
પોત-પોતાના અવસરે થાય છે. એ દ્રવ્યના પરિણામ છે. એ પરિણામ (બીજા) કોઈથી થયા છે, કે
(બીજા) કોઈથી થાય છે, કે કોઈથી બદલાય છે એમ નથી. આહા... હા!
“અને તે
ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક પરિણામ, અસ્તિત્વભૂત એવી દ્રવ્યની વૃત્તિ.” (નીચે ફૂટનોટમાં અર્થ) વૃત્તિ
= વર્તવું તે; હયાત રહેવું તે; (તેથી) દ્રવ્યની હયાતી. દ્રવ્યનો જે હયાતી નામનો સત્તાગુણ (છે.) એના
અસ્તિત્વસ્વરૂપ દ્રવ્યની હયાતીને લીધે
‘સત્’ થી અવિશિષ્ટ એવો” ‘સત્’ (એટલે)
उत्पादव्ययध्रौव्ययुक्तं सत् અને સત્તાગુણ બેય જુદા નથી બેય એક છે. આહા... હા... હા! જેમ
પરદ્રવ્યનું પૃથકપણું તદ્ન છે એમ આ (ગુણ-ગુણી) પૃથક નથી. પહેલું જરી કહી ગયા છે ને કે દ્રવ્ય
અને સત્તા અતદ્ભાવ તરીકે અન્યત્વ છે એમ કહ્યું’ તું. છતાં એ અતદ્ભાવ